SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાસિંચિકા/શ્લોક-૧૩-૧૪ સમાન સ્વીકારીએ, તો કેવલીને ભુક્તિ નથી, એ અમારું વચન સંગત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – આવશ્યકવૃજ્યાદિનું કથન રસની અપેક્ષાએ નથી. અન્યથા સૂત્રકૃત્ની= સૂયગડાંગની, વૃત્તિના વિરોધનો પ્રસંગ આવશે અર્થાત્ આવશ્યકના વૃત્તિકાર અન્ય ગ્રંથની વૃત્તિનો વિરોધ ન આવે તે રીતે જ તેનો અર્થ કરે, પરંતુ સૂત્રકૃતની વૃત્તિનો વિરોધ આવે તે રીતે અર્થ કરે નહિ. માટે આવશ્યકવૃત્તિકારનું કથન રસની અપેક્ષાએ નથી, પરંતુ સ્થિતિશેષાદિની અપેક્ષાએ છે. અહીં દિગંબરો કહે કે આવશ્યકનિયુક્તિ આદિમાં કેવલીને અસાતાદિ પ્રકૃતિઓ અદુઃખદ છે, તેમ કહેલ છે, તેથી પણ સિદ્ધ થાય છે કે કેવલીને સુધા ઉત્પન્ન કરે તેવી અસાતવેદનીય પ્રકૃતિ નથી, માટે કેવલીને ભક્તિ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આવશ્યકનિયુક્તિ આદિમાં કેવલીને અસાતાદિ પાપપ્રકૃતિઓ અદુઃખદ દુઃખને આપનારી નથી, એ પ્રમાણે જે કથન છે, તે કેવલીને ઘાતિકર્મજન્ય બહુતર દુઃખનો વિલય થવાને કારણે અલ્પ એવા અસાતાધિજન્ય દુઃખને દુઃખરૂપે અવિવક્ષા કરીને કહેલ છે; અને જો તેમ ન સ્વીકારીએ અને એમ કહીએ કે કેવલીને અસાતાદિ પ્રકૃતિજન્ય લેશ પણ દુઃખ નથી, તો તે પ્રકૃતિઓ ભવને ઉપગ્રહ કરનારી નથી, તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો કેવલીને ભવના અભાવની પ્રાપ્તિ થાય અને કેવલીને ભવની પ્રાપ્તિ છે, તેથી ભવના અભાવથી પ્રાપ્ત થનારું સંપૂર્ણ સુખ કેવલીને નથી, પરંતુ ઘાતિકર્મજન્ય ઘણું દુઃખ નથી, માટે ભવને ઉપગ્રહ કરનારી પ્રકૃતિજન્ય અલ્પદુઃખની અવિવક્ષા કરીને કેવલીને અસાતાદિ પ્રકૃતિઓ દુઃખને આપનારી નથી, તેમ આવશ્યકનિયુક્તિ આદિમાં કહેલ છે. તેથી અર્થથી ફલિત થાય છે કે કેવલીને ક્ષુધા છે, અને દેહને ધારણ કરવા માટે આહાર આવશ્યક છે, માટે કેવલી કવલભોજન કરે છે. I૧૩ અવતરણિકા : શ્લોક-૨માં દિગંબરે કહેલ કે દેહગત સુખ-દુ:ખનું ઇન્દ્રિયોથી ઉદ્ભવપણું હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy