SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સિદ્ધાવસ્થાના આત્માઓ સર્વકર્મરહિત છે, તેથી તેઓ પોતાના સ્વભાવમાં સમવસ્થિત છે; અને સ્વભાવમાં રહેવાથી થતું સુખ સર્વ કર્મોથી બાધ પામે છે, તેમ સુધાવેદનીયકર્મના ઉદયથી પણ બાધ પામે છે; અને કેવલીને સંપૂર્ણપણે અજ્ઞાનનો નાશ થયેલો છે અને સંપૂર્ણપણે મોહનો નાશ થયેલો છે. તેથી મોહની આકુળતા વગરનું જ્ઞાનનું સુખ કેવલીને હોવા છતાં અશાતાજન્ય સુધાનું દુઃખ કેવલીને સ્વીકારવામાં કોઈ બાધ નથી. સારાંશ - • સર્વ કર્મના નાશથી જીવના સ્વભાવની સાથે નિયત એવું અનંત સુખ સિદ્ધોને છે. • ચાર ઘાતિકર્મના ક્ષયને કારણે અજ્ઞાન અને મોહજન્ય આકુળતારૂપ દુઃખનો અભાવ થવાને કારણે અનંત સુખ કેવલીને છે. સંસારી જીવોને સર્વ કર્મના અભાવજન્ય સ્વભાવનિયત સુખ નથી, અને અજ્ઞાન અને મોહનો નાશ થયેલો નહિ હોવાથી મોહની આકુળતાના અભાવરૂપ સુખ પણ નથી; આમ છતાં સાતાવેદનીયના ઉદયથી કે અન્ય પુણ્યપ્રકૃતિના ઉદયથી શરીરાદિજન્ય સુખો છે, અને જે સંસારી જીવોને તથાવિધ પુણ્યપ્રકૃતિના ઉદયનો અભાવ છે, તેઓને અંતરંગ અને બહિરંગ સર્વ પ્રકારનું દુઃખ છે. ll૧૧ અવતરણિકા – શ્લોક-રમાં દિગંબરે કહેલ કે વેદનીયકર્મનું દિગ્ધરજુસમાનપણું હોવાને કારણે કેવલીને વેદનીયજન્ય સુધા નથી, તેથી કેવલી ભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति सिद्धान्तार्थव्यवस्थितिम् ।।१२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy