SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૩-૪ અનુકૂળ એવી ઇચ્છા સ્વીકારવી પડે, તેથી કેવલીભગવંત મોહયુક્ત છે, તેમ માનવું પડે; અને કેવલીભગવંત નિર્મોહી છે, માટે આહારાદિની પ્રવૃત્તિ કેવલીભગવંત કરતા નથી. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. (૮) સાતવેદનીયની અનુદીરણા : સાતાવેદનીયની અનુદીરણા હોવાથી કેવલીભગવંત કવલભોજન કરતા નથી; કેમ કે સાતવેદનીય, અસાતાવેદનીય અને મનુષ્યાયુષ્યની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી નિવૃત્ત થાય છે. જો કેવલીને કવલભોજન સ્વીકારવામાં આવે તો ભોજનજન્ય સાતાની પ્રાપ્તિ અને સાતવેદનીયની ઉદીરણાની પ્રાપ્તિ પણ થાય, અને શાસ્ત્રમાં સાતમા ગુણસ્થાનકથી સાતાવેદનીયની ઉદીરણા સ્વીકારી નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી. - અહીં વિશેષ એ છે કે સાતાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવાથી માતાના ઉદય સાથે સાતાની ઉદીરણાનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય અને કેવલીભગવંતને સાતાની ઉદીરણા નથી, માટે કેવલીભગવંતને કવલભોજન સ્વીકારી શકાય નહિ. (૯) આહારની કથાથી પણ અત્યંત પ્રમાદજનન : આહારની કથાથી અત્યંત પ્રમાદનું જનન હોવાથી આહારનું સુતરાં=નક્કી પ્રમાદજનનપણું છે. તેથી જો કેવલીભગવંતને આહારગ્રહણ સ્વીકારવામાં આવે તો કેવલીભગવંતમાં પ્રમાદ સ્વીકારવાની આપત્તિ આવે. માટે કેવલીભગવંત કવલભોજન કરતા નથી. II3II શ્લોક : भुक्त्या निद्रादिकोत्पत्तेस्तथा ध्यानतपोव्ययात् । परमौदारिकाङ्गस्य स्थास्नुत्वात्तां विनापि च ।।४।। અન્વયાર્થ - મુવી=મુક્તિ દ્વારા નિવિકલ્પ =નિદ્રાદિની ઉત્પત્તિ હોવાથી તથા અને ધ્યાનતપોવ્યથા–ધ્યાન અને તપનો વ્યય હોવાથી તાં વિના ર=અને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy