SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ મ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત બત્રીશીમાં ‘કેવલી કવલભોજન કરતા નથી' તેમાં, દિગંબરોની સ્થાપક યુક્તિઓ બતાવીને શાસ્ત્રવચન, અનુભવ અને યુક્તિથી સ્થાપન કર્યું કે પરદ્રવ્યરૂપ આહારની પ્રવૃત્તિ કરવામાત્રથી વીતરાગતાને કોઈ બાધ આવતો નથી, પરંતુ ભવોપગ્રાહિકર્મને વશ એવા તીર્થંકરો જેમ દેશનાદિ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ દેહધારણને અનુરૂપ ભુક્તિ આદિ પણ ઉચિત પ્રવૃત્તિરૂપે કરે છે. આ પ્રકારના ગ્રંથકારશ્રીના સ્થાપનથી દિગંબરના મતનો નિગ્રહ થાય છે અર્થાત્ દિગંબરનો મત છે કે લજ્જાસ્પદ એવી ભુક્તિની ક્રિયા કરે તેવા તીર્થંકરો ઉપાસ્ય થાય નહિ તે મતનો નિગ્રહ થાય છે; અને ગ્રંથકારશ્રીના તે વચનથી દિગંબરોનો નિગ્રહ જોઈને જે લોકો તત્ત્વના અર્થી છે તેવા શ્વેતાંબરો, ગ્રંથકારશ્રીની યુક્તિયુક્ત અને અનુભવને અનુસ૨ના૨ી વાણી સાંભળીને પરમ આનંદિત થાય છે, અને તેવા વિચારક પુરુષોથી જૈનશાસન શોભાને પામે છે; કેમ કે જે શાસનમાં સ્વમતના કદાગ્રહ વગર તત્ત્વની અર્થિતાવાળા યોગ્ય જીવો છે, અને તત્ત્વને પામીને તે યોગ્ય જીવો હર્ષિત થાય છે, તે જૈનશાસનની શોભા છે. આવી શોભાને પામેલું ભગવાનનું શાસન જય પામે અર્થાત્ સર્વત્ર વિસ્તારને પામે કે જેથી યોગ્ય જીવો ભગવાનના શાસનને પામીને કલ્યાણની પરંપરાને પામે, એ પ્રકારે ગ્રંથકારશ્રી અભિલાષા કરે છે. II૩૨ા इति केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ।। ३० ।। Jain Education International ૧૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy