SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવ્યવસ્થાપનહાત્રિશિકા/પ્રસ્તાવના નિરસન કરવાપૂર્વક પારમાર્થિક અધ્યાત્મ શું છે, એ સમજાવેલ છે. એ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં ગાથા-૭૨ થી ૧૨૩માં કેવલી ભગવંતોને કવલાહાર હોય કે નહિ, તેની વિશદ ચર્ચા કરેલ છે; અને આધ્યાત્મિક અને દિગંબર દ્વારા, કેવલીભગવંત કવલાહાર કરતા નથી, એ સિદ્ધ કરવા અપાયેલ અનેક કુયુક્તિઓનું નિરાકરણ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અનેક સુયુક્તિઓ અને આગમપાઠો પુરસ્સર ગાથા-૭૩ થી ૧ર૩માં કરેલ છે. (અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભા. ૧-૨-૩ ગીતાર્થ ગંગાથી પ્રકાશિત થયેલ છે, તેમાં ભા. રમાં કેવલીભક્તિનો વિચાર છે.) આધ્યાત્મિક અને દિગંબરોની માન્યતા એવી છે કે કેવલી ભગવાન અઢાર દોષરહિત અને કૃતકૃત્ય હોવાથી તેઓને સુધા-તૃષા ન હોવાથી કવલાહાર શી રીતે હોઈ શકે ? અને જો કેવલી ભગવાન કવલભોજી હોય તો કૃતાર્થ નથી, એ પ્રકારે તેઓ માને છે. વળી બુદ્ધિપૂર્વકની પુદ્ગલની પ્રવૃત્તિ વીતરાગ ક્યારેય કરે નહિ અને આહારગ્રહણની કે વસ્ત્રગ્રહણની પ્રવૃત્તિ પરદ્રવ્યની પ્રવૃત્તિ છે અને પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહ વગર થાય નહિ. તેથી નિર્મોહી એવા ભગવાનને આહારગ્રહણની પ્રવૃત્તિ અને વસ્ત્રગ્રહણની પ્રવૃત્તિ સંભવે નહિ. આવા પ્રકારની દિગંબરોની માન્યતા અનુસાર દિગંબરોએ બતાવેલ કેવલીને કવલભોજન સ્વીકારવામાં ૧૫ દોષોનું પ્રસ્તુત કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશીમાં શ્લોક-૧ થી પમાં ઉભાવન કરીને તે ૧૫ દોષોનું ગ્રંથકાર શ્રી મહોપાધ્યાયજી મહારાજાએ અનેક યુક્તિપૂર્વક અને અનુભવને અનુસારે શ્લોક-૬ થી ૨૮માં નિરાકરણ કર્યું છે. કેવલી ભગવાનને ભક્તિ સ્વીકારવામાં દિગંબરોએ અનેક દોષો બતાવ્યા. તે સર્વ દોષો કેવલી ભગવાનને કવલભોજનમાં પ્રાપ્ત થતા નથી, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. આમ છતાં જેમની બુદ્ધિમાં દિગંબરના મતના સંસ્કારો અતિ ઘનિષ્ઠ છે, તેઓ માને છે કે “આત્મા પરપદાર્થની પ્રવૃત્તિ કરે તે આત્મા માટે લજ્જાસ્પદ છે, અને વીતરાગ મોહરહિત હોવાથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરે તે કોઈ રીતે સંગત થતું નથી' તેનું શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. કેવલીને પરદ્રવ્યની પ્રવૃત્તિ સ્વીકારવી ઉચિત નથી, એમ દિગંબરો જે કહે છે, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારશ્રીએ અર્થથી એ સ્થાપન કર્યું કે “જેમ કેવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy