SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/પ્રસ્તાવના અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, એક અદ્ભુત અમર કૃતિરૂપ ગ્રંથરત્ન છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. પૂજ્યશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અભુત પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ ગ્રંથ સીધો આગમગ્રંથ નથી, પરંતુ આગમ ગ્રંથોના રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું ટીકામાં સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વત્રિશદ્વાáિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. એટલું જ નહીં, આ સર્વ પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિંશતિવિંશિકા આદિ ગ્રંથોનાં નામાભિધાન, તેના તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોનું નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણોને રચ્યાં અને એક એક પ્રકરણમાં ૩ર-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્ધાત્રિશિકા યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમહોર સમાન એક અણમોલ, અનુપમ અને અભુત મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે આત્મકલ્યાણ સાધી ન શકત. વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ શાસ્ત્રો અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથનું ૨૯મું પ્રકરણ “કેવલિભક્તિવ્યવસ્થાપનદ્ધાત્રિશિકા' છે. પૂ. મહોપાધ્યાયજી મહારાજાએ “અધ્યાત્મમતપરીક્ષા” ગ્રંથરત્નની સ્વોપજ્ઞ ટીકા સમેત રચના કરેલ છે. એ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથરત્નની ૧૮૪ ગાથાઓ છે. એ ગ્રંથરત્નમાં આધ્યાત્મિક મત અને દિગંબર મતની અનેક માન્યતાઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy