SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવ્યવસ્થાપન દ્વાર્જિશિકા/શ્લોક-૨૫ ટીકામાં યથાવિપોપમમેવ પાઠ છે ત્યાં પથવિપ#િોપમેળેવ પાઠની સંભાવના છે, તે મુજબ પાઠ લઈ અમે અર્થ કરેલ છે. ભાવાર્થ : પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં દિગંબરે કહેલ કે ભુક્તિ આદિનું અદૃષ્ટ શરીરસ્થાપક અદૃષ્ટ સાથે નિયત હોવા છતાં પણ કેવલીમાં તે કર્મ ક્ષીણ થયેલ હોવાને કારણે કેવલીમાં અભુક્તિનો સ્વીકાર થઈ શકશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ભક્તિ આદિના અદૃષ્ટનું કેવલીમાં ક્ષીણપણું ઉચિત નથી; કેમ કે જેમ વીતરાગત્વાદિ પરિણામ દ્વારા રાગાદિ નિવર્તન પામે છે, તેમ અભોજનભાવનાથી સુધાદિભાવો નિવર્તન પામતા નથી. તેથી અભોજનભાવનાના પ્રકર્ષવાળા એવા કેવલીમાં જેમ રાગાદિ નષ્ટ થયા છે, તેમ ભક્તિ આદિનું જનક અદૃષ્ટ નષ્ટ થયું છે, તેમ સ્વીકારી શકાય નહિ. અહીં દિગંબર કહે કે અભોજનભાવનાના તારતમ્યથી સુધાના નિરોધનું તારતમ્ય દેખાય છે. તેથી જેમ મુનિઓ અભોજનભાવનાથી આત્માને ભાવિત કરીને સુધાનો નિરોધ કરે છે, તેમ અભોજનભાવનાના પ્રકર્ષવાળા એવા વીતરાગમાં ભક્તિપાદક અદૃષ્ટ તન=ક્ષણ થયું છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે -- અભોજનભાવનાથી મુક્તિ આપાદકકમ તન થતું નથી, પરંતુ ભોજનાદિગત પ્રતિબંધ માત્રની નિવૃત્તિ થાય છે. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – જેમ મુનિઓ અશરીરભાવનાથી આત્માને ભાવિત કરીને શરીરગત રાગાદિને ક્ષણ કરે છે અર્થાત્ શરીર પ્રત્યેના રાગાદિના પ્રતિબંધ માત્રને ક્ષીણ કરે છે, તેમ અભોજનભાવનાથી પણ ભોજનાદિગત પ્રતિબંધમાત્રની નિવૃત્તિ થઈ શકે છે. સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – જો ઉપર કહ્યું તેવું ન સ્વીકારવામાં આવે અને અભોજનભાવનાથી સુધાઆપાદક કર્મ તન થાય છે, અને અભોજનભાવનાના પ્રકર્ષવાળા વિતરાગમાં સુધાઆપાદક કર્મની નિવૃત્તિ છે માટે કેવલીને ભક્તિ નથી, એમ સ્વીકારવામાં આવે તો, અશરીરભાવનાના પ્રકર્ષથી કેવલીના શરીરની નિવૃત્તિની પણ આપત્તિ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy