________________
૧૫
યોગભેદદ્વાત્રિંશિકા/બ્લોક-૨૧
પરિણામનું નિશ્ચલપણું જ અને અનુબંધનો વ્યવચ્છેદ, આ ધ્યાનનું ફળ ધ્યાનના જાણનારાઓ કહે છે. II૨૧]I
ટીકાઃ
શિતતિ-સર્વત્ર હાર્યે, શિતા જૈવ-બ્રાહ્માડઽયત્તતૈવ, માવસ્ય-અન્તઃર૧રિમસ્ય, સ્વૈમિત્યમેવ વ=નિશ્વતત્વમેવ, અનુવન્થવ્યવછેવો=મવાન્તરાSSरम्भकाणामितरेषां च कर्मणां वन्ध्यभावकरणं च इति = एतद्, ध्यानफलं विदुर्जानते ધ્યાનવિઃ ||૨||
ટીકાર્ય :
सर्वत्र ધ્યાનવિવઃ ।। સર્વત્ર=સર્વ કાર્યમાં, વશિતા જપોતાના આત્મા ઉપરનું પોતાનું પ્રભુત્વ જ, અને ભાવનું=અંતઃકરણના પરિણામનું, ઔમિત્ય જ=નિશ્ચલપણું જ=બાહ્યનિમિત્તોથી ચલાયમાન ન થાય તેવું સ્થિરપણું જ, અને અનુબંધનો વ્યવચ્છેદ=ભવાંતર આરંભક એવાં મોહનીયકર્મોનો અને ઈતર-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનું વંધ્યભાવકરણ કૃતિ=તઃ એ, ધ્યાનનું ફળ, ધ્યાનના ફળને જાણનારાઓ કહે છે. ।।૨૧। ભાવાર્થ:
પૂર્વમાં વર્ણન કરાયેલા ધ્યાનના દોષોથી રહિત એવા ધ્યાનમાં શાંત-ઉદાત્ત યોગી=જેના કષાયો અને ઈન્દ્રિયો શાંત થયેલા છે એવા અને ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકામાં જવા માટેના બદ્ધચિત્તવાળા એવા શાંત, ઉદાત્ત યોગી યત્ન કરે તો તેનાથી ત્રણ પ્રકારના ફળોની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે -
ધ્યાનનાં ફળો :
(૧) સર્વત્ર વશિતા :- શાંત-ઉદાત્ત આશયવાળા યોગી ધ્યાનના દોષોના વર્જનપૂર્વક ધ્યાનમાં યત્ન કરે તો પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ વધતું જાય છે. સામાન્ય રીતે જીવો ઉપર કર્મનું પ્રભુત્વ હોય છે, તેથી કર્મથી અને ઈન્દ્રિયોના વશથી જીવો સર્વ પ્રવૃત્તિ કરે છે અને સુખના અર્થી પણ જીવો દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. આનું કારણ, પોતાના આત્મા ઉ૫૨ જીવનું પોતાનું પ્રભુત્વ નથી એ છે, અને તેથી યોગમાર્ગની આદ્ય ભૂમિકામાં આવેલા યોગીઓ ધર્માનુષ્ઠાન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org