SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ અન્યને અન્યથાસિદ્ધ કહેવું તે અતિપ્રસંગ દોષવાળું છે. જેમ ઘટ પ્રત્યે દંડ પણ કારણ છે અને ચક્ર પણ કારણ છે, આમ છતાં એમ કહેવામાં આવે કે દંડ તો ઘટનો હેતુ છે, પરંતુ ચક્ર દંડ ઉપર આધાર રાખીને ઘટને કરે છે, માટે ચક્ર ઘટનો હેતું નથી, પરંતુ દંડ જ હેતુ છે, તેમ માનવાનો અતિપ્રસંગ આવે. વ્યવહારનયવાદીએ કહ્યું કે કાર્યભેદ પ્રામાણિક હોય તો વિશેષને આશ્રયીને કાર્યહતુપણું સ્વીકારી શકાય. તેમાં દૃષ્ટાંત બતાવે છે – તૃણથી જન્ય વહ્નિ, અરણીથી જન્ય વહ્નિ અને મણિથી જન્ય વહ્નિ : આ ત્રણે વહ્નિ જુદા પ્રકારના છે. જો ત્રણ પ્રકારના વહ્નિને વિજાતીય ન સ્વીકારવામાં આવે અને એકજાતીય સ્વીકારવામાં આવે તો તૃણથી જ્યારે વહ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે અરણી અને મણિ પણ વિદ્યમાન જોઈએ, જે નથી, આમ છતાં વહ્નિરૂપ કાર્ય થાય છે. તેથી મણિ અને અરણીને વહ્નિ પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહીં; કેમ કે જેના અભાવમાં કાર્ય થતું હોય તેને તે કાર્ય પ્રત્યે કારણ સ્વીકારી શકાય નહીં. વળી અરણી આદિથી વહ્નિ થાય છે, તે સ્થાનમાં તૃણનો અભાવ છે. તેથી તૃણને પણ વહ્નિનું કારણ સ્વીકારી શકાય નહીં. તેથી કાર્યભેદે હેતભેદ સ્વીકારવો પડે. આ દોષના નિવારણ માટે તાર્કિકો કહે છે કે તૃણજન્ય વહ્નિ વિજાતીય છે, અરણિજન્ય વહ્નિ વિજાતીય છે અને મણિજન્ય વહ્નિ પણ વિજાતીય છે. તેથી આ ત્રણે વહ્નિ બાહ્ય રીતે સમાન દેખાવા છતાં વિજાતીય છે; અને તૃણજન્ય વહ્નિ પ્રત્યે તૃણ કારણ છે, પરંતુ અરણી અને મણિ કારણ નથી. તે રીતે અરણીજન્ય વહ્નિ પ્રત્યે અરણી કારણ છે, પરંતુ તૃણ અને મણિ કારણ નથી. તે રીતે મણિજન્ય વહ્નિ પ્રત્યે મણિ કારણ છે, તૃણ અને અરણી કારણ નથી. આ રીતે કાર્યનો ભેદ પ્રાપ્ત થતો હોય તે સ્થાનમાં વિશેષને આશ્રયીને= અગ્નિ વિશેષને આશ્રયીને તૃણમાં કે મણિમાં કાર્યક્ષેતુપણું સ્વીકારી શકાય. જેમ તૃણજન્યત્વ વિશેષને આશ્રયીને તૃણજન્ય વહ્નિ પ્રત્યે તૃણ કારણ છે, અરણી અને મણિ કારણ નથી, તેમ કહી શકાય. તેની જેમ અરણીજન્યત્વ વિશેષને આશ્રયીને અરણીજન્ય વહ્નિ પ્રત્યે અરણી કારણ છે, તૃણ અને મણિ કારણ નથી, તેમ કહી શકાય. તેમ મણિજન્યત્વ વિશેષને આશ્રયીને મણિજન્ય વર્તિ પ્રત્યે મણિ કારણ છે, તૃણ અને અરણી કારણ નથી, તેમ કહી શકાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy