________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૯
૧૨૧ કરાવીને કે ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે અપેક્ષિત સંવેગની વૃદ્ધિ કરાવીને ઉપદેશ ઉપયોગી બને છે. વળી કોઈક જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકથી પાતને સન્મુખ થયા હોય ત્યારે ઉપદેશ સંવેગની વૃદ્ધિ દ્વારા સ્વૈર્યનું આધાર કરે છે.
ભૂમિની રસાળતા-નિબંધન જલોત્પત્તિમાં પવન-ખનનાદિ અનિયત હેતુ છે. તે દૃષ્ટાંતથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ હેતુ છે, તેમ પૂર્વશ્લોક૨૮માં બતાવ્યું. તેથી ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિનો અભિવ્યંજક ઉપદેશ છે, તેમ અર્થથી પ્રાપ્ત થયું; કેમ કે પવનથી કે ખનનથી ભૂમિમાં રહેલું જલ અભિવ્યક્ત થાય છે, ઉત્પન્ન થતું નથી. માટે ઉપદેશની અભિવ્યંજકતા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કરે છે --
દંડથી ઘટ ઉત્પન્ન થાય છે, તેથી વ્યવહારનયની દૃષ્ટિથી દંડની ઘટ પ્રત્યે જનકતા છે, પરંતુ દંડની ઘટ પ્રત્યે વ્યંજતા નથી. તેવી જનકતા સમ્યગ્દષ્ટિ પ્રત્યે ઉપદેશની નથી. વળી, શરાવમાં ગંધ રહેલી જ છે, તેના ઉપર પાણી નાખવામાં આવે તો ગંધ ઉત્પન્ન થતી નથી. તેથી વ્યવહારનયની દૃષ્ટિથી શરાવમાં રહેલ ગંધનું પાણી વ્યંજક છે, જનક નથી. માટે પાણીમાં ગંધની વ્યંજકતા છે, જનકતા નથી.
તેમ પ્રસ્તુતમાં વ્યવહારનયની દૃષ્ટિથી વિચારીએ તો જે જીવોએ ગ્રંથિનો ભેદ કર્યો છે અને ઉચિત પ્રવૃત્તિ કરવા માટે ઉદ્યમવાળા છે, પરંતુ ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે શું ઉચિત પ્રવૃત્તિ કરવી, તેનો બોધ નથી અથવા ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ તીવ્ર સંવેગ સ્વપરાક્રમથી ઉલ્લસિત કરી શકે તેવા નથી, તેવા જીવોમાં, જેમ શરાવમાં ગંધ વિદ્યમાન છે, તેમ ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ વિદ્યમાન છે, પરંતુ સ્વબળથી અભિવ્યક્ત થતો નથી, અને જેમ શરાવ ઉપર જલસિંચન કરવાથી ગંધ અભિવ્યક્ત થાય છે, તેથી જલમાં બંધની વ્યંજકતા છે, તેમ આવા જીવોમાં ઉપરના ગુણસ્થાનકમાં જવાનો પરિણામ ઉપદેશથી અભિવ્યક્ત થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ અપાતા ઉપદેશમાં વ્યંજકતા છે, અને તેને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ઉપદેશની વ્યંજકતા પણ પરિણામના બળથી ઉપનતિની ક્રિયા છે અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org