________________
૧૨૦
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯
સદા પ્રેરણા આપે છે. આથી સમ્યગ્દષ્ટિ જીવો આત્મકલ્યાણ માટે સદા ઉદ્યમવાળા હોય છે. આમ છતાં સમ્યગ્દષ્ટિ જીવો આત્મકલ્યાણ માટે જે ઉદ્યમ કરે છે, તેમાં અતિશયતા ક૨વા અર્થે ઉપદેશ ઉપયોગી છે. જેમ કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ હોય અને સ્વબોધ અનુસાર ધર્મમાં યત્ન કરતો હોય, આમ છતાં ઉપદેશને પામીને સૂક્ષ્મ બોધ થવાને કારણે કે તીવ્ર સંવેગ થવાને કારણે અધિક પ્રવૃત્તિ કરી શકે તેમ હોય તો ઉપદેશ ઉપયોગી છે.
વળી કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ હોય અને સ્વભૂમિકા પ્રમાણે ધર્મમાં યત્ન પણ કરતો હોય, છતાં દેશવિરતિ કે સર્વવિરતિનો ઉપદેશ સાંભળે તો તીવ્ર વીર્ય ઉલ્લસિત થાય તેમ હોય તેવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે.
વળી કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ હોય અને કોઈક નિમિત્તને પામીને સમ્યક્ત્વથી પાતને અભિમુખ થયેલ હોય ત્યારે તેના સમ્યક્ત્વના પરિણામમાં સ્વૈર્ય માટે ઉપદેશ ઉપયોગી છે.
વળી કોઈક સમ્યગ્દષ્ટિ જીવે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણસ્થાનક સ્વીકાર્યું હોય, અને કોઈક નિમિત્તને પામીને તે ગુણસ્થાનકમાં કષ્ટસાધ્યતા જણાતાં પાતનો પરિણામ થતો હોય, તો તેના સ્વૈર્ય માટે ઉપદેશ ઉપયોગી છે. જેમ મેઘકુમારે સંયમ ગ્રહણ કરેલ, પરંતુ સંયમનું કષ્ટમય જીવન પોતાને પાળવું અશક્ય જણાવાથી સંયમથી પતનનો પરિણામ થયો, અને પ્રભુ વીર પરમાત્માના ઉપદેશથી સંયમમાં સ્વૈર્યની પ્રાપ્તિ થઈ.
આ રીતે સમ્યગ્દષ્ટિ જીવોને પોતાના પરિણામો અધિક કરાવવા અર્થે, અને સ્વીકારાયેલા ગુણસ્થાનકના પાતથી રક્ષણ કરવા અર્થે ઉપદેશ ઉપયોગી છે, પરંતુ સ્થિર પરિણામવાળા સમ્યગ્દષ્ટિ પ્રત્યે ઉપદેશ ઉપયોગી નથી.
આનાથી એ ફલિત થાય કે જે સમ્યગ્દષ્ટિ જીવો સ્વીકારાયેલા ગુણસ્થાનકમાં સ્વબળથી દૃઢ યત્ન કરે છે, તેઓ પ્રત્યે ઉપદેશ ઉપયોગી નથી; પરંતુ જેઓ સ્વશક્તિ અનુસાર ગુણસ્થાનકની વૃદ્ધિ માટે ઉદ્યમ કરે છે, આમ છતાં ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે સ્વબળથી સંવેગનો અતિશય કરી શકતા નથી, અથવા ઉપરના ગુણસ્થાનકમાં જવા માટે કેવો ઉદ્યમ કરવો જોઈએ, તેનો સૂક્ષ્મબોધ નથી, તેવા જીવોને ઉપરના ગુણસ્થાનકમાં જવાને અનુકૂળ બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org