________________
૧૧૨
દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮
'
ભાવાર્થ :
(i) ગ્રંથિભેદ પછી બળવાન રત્નાથી દૈવનો બાધ :(ii) ગ્રંથિભેદ પછી ધર્મ, અર્થ અને કામ વિષયક ઉચિત પ્રવૃત્તિ :
પૂર્વશ્લોક-૨૬માં કહ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દેવ બાધ પામે છે. તે રીતે ચરમાવર્તવર્તી જીવો ગ્રંથિભેદ પૂર્વે માર્ગાનુસારી યત્ન દ્વારા યોગમાર્ગની પ્રવૃત્તિના પ્રતિબંધક એવા દેવનો બાધ કરે છે, અને પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વને જાણવા માટે બળવાન યત્ન કરતા હોય તો તે યત્નથી ગ્રંથિભેદ પણ થાય છે અર્થાત્ તત્ત્વના પારમાર્થિક સ્વરૂપને જોવામાં બાધ કરે તેવા રાગાદિ પરિણામરૂપ ક્લિષ્ટ કર્મસ્વરૂપ ગ્રંથિનો વિનાશ પણ થાય છે; અને જે જીવો પરમ મધ્યસ્થતાપૂર્વક તત્તાતત્ત્વનો વિભાગ કરીને ગ્રંથિભેદ કરે છે, અને તેના દ્વારા “આ તત્ત્વ આમ જ છે” તેવો સ્થિર નિર્ણય કરે છે, તેઓ ધર્મ, અર્થ અને કામવિષયક ઉચિત પ્રવૃત્તિ કરનારા થાય છે, કેમ કે ગ્રંથિભેદથી પ્રગટ થયેલી નિર્મળ પ્રજ્ઞા જ બળવાન યત્નને પ્રેરણા આપે છે અર્થાત્ તત્ત્વની પ્રાપ્તિ કરવા માટે બળવાન યત્નને પ્રેરણા કરે છે. માટે બળવાન યત્નથી પ્રેરાઈને ભિન્નગ્રંથિવાળા જીવો શક્તિના પ્રકર્ષથી ધર્મમાં ઉદ્યમ કરે છે, અને સંપૂર્ણ ધર્મ સેવવાનું સામર્થ્ય પ્રગટ્યું ન હોય તો અર્થ અને કામમાં તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે કે જેથી ધર્મને બાધ ન થાય, પરંતુ સ્વભૂમિકા અનુસાર ધર્મની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને ક્રમે કરીને પૂર્ણ ધર્મરૂપ સર્વવિરતિનું સામર્થ્ય પ્રગટે. IFરના અવતરણિકા :
ननु यद्येवं ग्रन्थिभेदादूचं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्य स्यादित्यत आह - અવતરણિકાર્ય :
જો આ રીતે પૂર્વશ્લોક-૨૭માં કહ્યું એ રીતે, ગ્રંથિભેદથી ઉત્તરમાં સ્વપરિણામથી જ ઉચિત પ્રવૃત્તિની સિદ્ધિ છે સ્વબળવાન યત્નથી જ ધર્માદિ વિષયક ઉચિત પ્રવૃત્તિની સિદ્ધિ છે, તો ઉપદેશનું વૈયÁ થાયસમ્યગ્દષ્ટિને અપાતો ઉપદેશ વ્યર્થ થાય. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org