________________
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨-૨૩
સમ્યક્ પ્રયત્નને કારણે કોઈ બંધાયેલા કર્મના ફળનો અભાવ હોવા છતાં પણ બાધ્ય એવા કર્મમાં રહેલી યોગ્યતા જે સમ્યક્ પ્રયત્નથી બાધ્ય થઈ, તે વ્યવહારનયને સંમત છે, અને તેને સામે રાખીને અહીં કહેલ છે કે જે કર્મ ફળ આપવાની યોગ્યતાવાળું હતું, તેનો પુરુષકારથી બાધ થાય છે. ૨૨/ અવતરણિકા :
ननु योग्यतैव प्रतिमामाक्षेप्स्यति किं तद्बाधकेन पुरुषकारेणेत्याशंक्याह - અવતરણિકાર્થ ઃ
યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ કરશે, તેના બાધક પુરુષકાર વડે શું ? એ પ્રકારની આશંકા કરીને કહે છે .
૯૪
ભાવાર્થ:
કાષ્ઠાદિ દલમાં રહેલી પ્રતિમાનિષ્પત્તિની યોગ્યતા જ પ્રતિમાનો આક્ષેપ ક૨શે, તેના બાધક પુરુષકાર વડે શું ?=પ્રતિમાની યોગ્યતાના બાધક એવા પ્રતિમાના નિર્માણને અનુકૂળ પુરુષકાર વડે શું ? અર્થાત્ પ્રતિમાના નિર્માણને અનુકૂળ એવા પુરુષકારથી પ્રતિમાની યોગ્યતાનો બાધ થયો છે, તેમ માનવાની જરૂર નથી. આ પ્રકારની આશંકા કરીને કહે છે
શ્લોક ઃ
।
दार्वादे: प्रतिमाक्षेपे तद्भावः सर्वतो ध्रुवम् (ध्रुवः) 1 योग्यस्यायोग्यता वेति न चैषा लोकसिद्धितः ||२३||
અન્વયાર્થ :--
વાર્તાવેઃ પ્રતિમાક્ષેપે=કાષ્ઠાદિથી પ્રતિમાનો આક્ષેપ થયે છતે કાષ્ઠાદિની યોગ્યતાથી જ પ્રતિમાની નિષ્પત્તિ થયે છતે સર્વતઃ=સર્વ યોગ્ય કાષ્ઠાદિથી ધ્રુવમ્ (ધ્રુવઃ)=નિશ્ચિત તમાવઃ તેનો ભાવ છે=પ્રતિમાની નિષ્પત્તિનો ભાવ છે. વા=અથવા ચોવસ્થાયોયતા યોગ્ય એવા કાષ્ઠાદિની અયોગ્યતા છે, કૃતિ=એ પ્રસંગ છે. ચ=વળી ભોદ્દસિદ્ધિતઃ=લોકમાં પ્રસિદ્ધિ હોવાથી–લોકમાં ‘આ કાષ્ઠાદિ પ્રતિમાયોગ્ય છે' એ પ્રકારે પ્રસિદ્ધિ હોવાથી ા=આ= અયોગ્યતા ન=નથી. ।।૨૩।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org