SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવપુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૨૨ ૯૩ પ્રતિમાની યોગ્યતાનો વ્યવહાર છે, તે કાષ્ઠાદિમાંથી પ્રતિમા ઘડવા કોઈ યત્ન ન કરે તો તે કાષ્ઠમાંથી પ્રતિમા ન થાય તો પણ તેમાં પ્રતિમાની યોગ્યતા અક્ષત છે. તેની જેમ – કર્મમાં રહેલી યોગ્યતાનો પણ પુરુષકારથી બાધ્યપણારૂપે અનિયમ હોવા છતાં પણ= પુરુષ પુરુષકાર ન કરે તો તે યોગ્યતાનો બાધ ન થાય, અને તે પુરુષ પુરુષકાર કરે તો કર્મનો બાધ થાય એવો નિયમ હોવા છતાં પણ, કર્મમાં સુખદુઃખાદિરૂપ ફળ આપવાની યોગ્યતા છે; કેમ કે કર્મ બાંધતી વખતે જીવે જે અધ્યવસાય કરેલ તે અધ્યવસાયવિશેષથી તે પ્રકારનું ફળ આપે તેવો રસવિશેષ, અને તે કાળ સુધી તે ફળનો અનુભવ થાય તેવી સ્થિતિવિશેષ, કર્મમાં પ્રાપ્ત થયેલ છે, તેથી તે કર્મ ફળ આપવાની યોગ્યતાવાળું છે; આમ છતાં પુરુષકાર દ્વારા એ કર્મની શક્તિનો નાશ કરવામાં આવે તો ફળ મળે નહીં, તોપણ તે કર્મમાં તે ફળને આપવાની યોગ્યતા છે. વળી તે કર્મમાં ફળ આપવાની યોગ્યતા છે, તેમાં અન્ય યુક્તિ બતાવે છે – પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે કે મારું જ્ઞાનનું આવારક કર્મ બોધના અભાવનું કારણ હતું, અને બોધ કરવાના મારા યત્નથી તે કર્મ નિવર્તન પામ્યું અર્થાત્ ક્ષયોપશમભાવને પામ્યું, તેથી મને બોધ થયો. જો બોધ માટે પ્રયત્ન ન કર્યો હોત તો બોધ થાત નહીં. તેથી જે બોધવારક કર્મનું કાર્ય થતું નથી, તે બોધઆવારક કર્મમાં બોધને આવરવાની શક્તિ અક્ષત છે; ફક્ત પુરુષકાર દ્વારા તે શક્તિનો બાધ થવાને કારણે તે બોધઆવારક કર્મનું કાર્ય થયું નહીં, એ પ્રકારે પ્રામાણિક રીતે વિચારનારા લોકનો અનુભવ છે. તેથી એ ફલિત થાય કે કર્મમાં ફળ આપવાની યોગ્યતા હોવા છતાં સમ્યક યત્નથી તેનું નિવારણ થઈ શકે, એમ પ્રામાણિક લોકમાં પ્રસિદ્ધ છે. તત્ત્વને જોનાર નિશ્ચયનય કહે છે કે જે કારણથી કાર્ય થતું નથી, તે કારણમાં યોગ્યતા નથી. તેથી જે કાષ્ઠમાંથી પ્રતિમા થતી નથી, તે કાષ્ઠમાં પ્રતિમાની યોગ્યતા નથી; અને તે નિયમ પ્રમાણે જે કર્મનું ફળ મળતું નથી, તે કર્મમાં ફળ આપવાની યોગ્યતા નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy