________________
દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ બાધ્યબાધકભાવ પ્રાપ્ત થાય; કેમ કે સમ્ય યુક્તિનો અવિરોધ છે= પાંચે કારણોના યોગથી કાર્ય થયું, એમ સ્વીકારવાથી સમ્યગુ યુક્તિ ઘટે છે.
જેમ કોઈ પુરુષનું દેવ ધનપ્રાપ્તિમાં બાધ કરે તેવું હોય, અને તે પુરુષ ધનપ્રાપ્તિ માટે સમ્યગુ ઉદ્યમ કરતો હોય, અને તે કાળનો પુરુષકાર દૈવથી બાધ પામે ત્યારે દેવથી પુરુષકારનો બાધ થવામાં તે કાળ સહકારી છે, અને તે વખતનો પ્રયત્ન નિષ્ફળ થાય, તેવી નિયતિ પણ સહકારી છે, અને જીવના પ્રયત્નથી ધન ગ્રહણ થઈ શકે તેવો ધનનો સ્વભાવ પણ સહકારી છે. તેથી કાળ, નિયતિ અને સ્વભાવના સહકારના બળથી તે જીવનું દેવ ધનપ્રાપ્તિ માટે કરાયેલા પુરુષકારને બાધ કરીને ધનપ્રાપ્તિના પ્રયત્નને નિષ્ફળ કરે છે.
અહીં વિશેષ એ છે કે કોઈ પુરુષ ધર્માસ્તિકાયને ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે તો તે પ્રયત્નનો દેવ બાધ કરે છે, તેમ કહી શકાય નહીં; કેમ કે ધર્માસ્તિકાયનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ નથી, પરંતુ ધનનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ છે. માટે દેવથી પુરુષકારનો બાધ કરવામાં ધનનો જીવથી ગ્રહણ થવાનો સ્વભાવ સહકારી બને છે.
વળી તે પુરુષ કોઈક કાળમાં ધન માટે યત્ન કરે ત્યારે દૈવથી તેનો પુરુષકાર બાધ પામતો નથી, તો વળી કોઈ અન્ય કાળમાં ધનપ્રાપ્તિનો પુરુષકાર દેવથી બાધ પામે છે. તેથી ધનપ્રાપ્તિના પુરુષકારને બાધ કરવામાં દેવને તે કાળ સહકારી થયો. વળી તે પુરુષ અનેક વાર ધન માટે યત્ન કરે છે, તોપણ ક્યારેક ક્યારેક સફળતા મળે છે અને ક્યારેક ક્યારેક નિષ્ફળતા મળે છે. તેથી જે જે કાળમાં નિષ્ફળતા મળવાની નિયતિ હોય તે તે કાળમાં ધનપ્રાપ્તિને અનુકૂળ પુરુષકારને બાધ કરવામાં નિયતિ પણ દેવને સહકારી . તેથી કાળ, સ્વભાવ અને નિયતિના સહકારથી દેવ અને પુરુષકારમાં ઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય છે, અને આ પ્રકારની સંગતિ સમ્યક્ પ્રકારની યુક્તિથી ઘટે છે; કેમ કે સંસારનાં સર્વ કાર્યોમાં તે પ્રકારનો અનુભવ છે.
વળી જેમ કોઈ સ્થાનમાં દૈવનો બાધક સ્વભાવ છે અને પુરુષકારનો બાધ્ય સ્વભાવ છે, તેમ કોઈક અન્ય સ્થાનમાં દેવનો બાધ્ય સ્વભાવ છે અને પુરુષકારનો બાધક સ્વભાવ છે. જેમ સુબુદ્ધિ મંત્રીનું જ્ઞાનગર્ભ મંત્રીનું કર્મ, પુરુષકારથી બાધ્ય થાય એવા સ્વભાવવાળું હતું, અને સુબુદ્ધિ મંત્રીએ બુદ્ધિપૂર્વક પુરુષકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org