SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ ૨૭ અહીં કોઈને પ્રશ્ન થાય કે, જીવોના કર્મોથી તે કર્મોને અનુસાર તે જીવોને ફળ મળતું હોય, તો તે ફળ પ્રત્યે ઈશ્વરને કારણે માનવાની જરૂર નથી, તેથી તે ફળ પ્રત્યે ઈશ્વર અન્યથાસિદ્ધ થશે. તેનું નિરાકરણ કરતાં પાતંજલદર્શનકાર કહે છે – કોઈ કાર્ય પ્રત્યે એક કારક હોય તેનાથી અન્ય કારકને કારક નથી, તેમ કહી શકાય નહિ. જેમ – ઘટ પ્રત્યે દંડ સાધનરૂપે કારક છે તેટલા માત્રથી કુંભારરૂપ કારકને અન્યથાસિદ્ધ કહી શકાય નહિ. તેમ જીવોને પોતપોતાના કૃત્યોનું ફળ મળે છે, તે ફળ પ્રત્યે તેઓનું કૃત્ય કારક છે, તેમ તે કૃત્યોનું ફળ આપવાની ઈશ્વરની ઇચ્છા પણ કારક છે, માટે જગતમાં જીવોને જે કાંઈ ફળ મળે છે તે સર્વ પ્રત્યે ઈશ્વરની ઇચ્છા કારણ છે. આ રીતે ઈશ્વરનું જગત્કર્તુત્વ સિદ્ધ થાય છે, માટે ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે, એમ પાતંજલો કહે છે. ll અવતરણિકા : एतद् दूषयति - અવતરણિકાર્ચ - આને દૂષિત કરે છે શ્લોક-૧થી શ્લોક-૪ સુધી ઈશ્વરનું સ્વરૂપ બતાવીને સ્થાપન કર્યું કે ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ થાય છે તે પાતંજલમતને, ગ્રંથકારશ્રી દૂષિત કરે છે – શ્લોક : नैतद्युक्तमनुग्राह्ये तत्स्वभावत्वमन्तरा । नाणुः कदाचिदात्मा स्याद्देवतानुग्रहादपि ।।५।। અન્વયાર્થ - અનુગ્રા અનુગ્રાહ્યમાં અર્થાત્ ઈશ્વરથી અનુગ્રહ પામવા યોગ્ય એવા યોગીના આત્મામાં, તત્ત્વમાવવત્તર તસ્વભાવપણા વગર=અનુગ્રાહ્યસ્વભાવપણા વગર, તઆEયોગનું ઈશ્વર અનુગ્રહજવ્યપણું,નયુયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy