________________
૧૧
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/સંકલના વળી, સાધનાવિષયમથ્યાજ્ઞાનમારૂં શિષ્ટત્વમ્ |
આ લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં રહેલ શિષ્ટત્વનું વ્યંજક છે; પરંતુ પરમતાનુસાર આ શિષ્ટનું લક્ષણ સંગત નથી.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે વેદને પ્રમાણ માને તે શિષ્ટ કહેવાય એમ બ્રાહ્મણો માને છે અને જિનવચનને પ્રમાણ માને તે શિષ્ટ કહેવાય એમ જૈનો માને છે. તેથી વિચારકને એમ લાગે કે જેમાં બ્રાહ્મણો સ્વદર્શનમાં સ્થિર રુચિવાળા હોય તે શિષ્ટ છે તેમ કહે છે, તેમ જૈનો પણ સ્વદર્શનમાં સ્થિર રુચિવાળાને શિષ્ટ કહે છે. તેથી બન્નેનું શિષ્ટપણું સમાન છે, એ પ્રકારનો કોઈને ભ્રમ થાય. એના નિવારણ માટે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં શું શું દોષો આવે છે, તેની વિસ્તારથી ચર્ચા કરીને અંતે સ્થાપન કર્યું કે યુક્તિયુક્ત વેદવચનોને જૈનો પણ પ્રમાણ માને છે. તેથી ભગવાનના વચનથી પરિષ્કૃત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને પણ તે તે નયઅપેક્ષાએ પ્રમાણભૂત માને છે. માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવોમાં ઘટે છે, અને અવિચારક રીતે વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણોમાં ઘટતું નથી.
વળી, સર્વજ્ઞોનાં સર્વ વચન યુક્તિયુક્ત છે. તેથી યથાર્થવાદી એવા સર્વજ્ઞના વચનમાં જેને સ્થિર શ્રદ્ધા છે એવા સમ્યગ્દષ્ટિ જ શિષ્ટ છે, એમ બતાવવા માટે બ્રાહ્મણોના કરાયેલા શિષ્ટના લક્ષણની વિશદ ચર્ચા પ્રસ્તુત બત્રીશીમાં કરેલ છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્' માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org