SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૩૨ આશય એ છે કે આત્માની સર્વ કર્મરહિત અવસ્થા સુંદર અવસ્થા છે, અને આત્માની કર્મવાળી અવસ્થા અસુંદર અવસ્થા છે, તેવો બોધ સમ્યગ્દષ્ટિને હોય છે. વળી કર્મરહિત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વજ્ઞનું વચન જ છે, તેવો સ્થિરબોધ સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી જો સંયોગ અને શક્તિ હોય તો સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના પરમાર્થને જાણીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરે. આમ છતાં કોઈ કૃત્યમાં ‘આ કૃત્ય પરલોકના હિતનું સાધન છે' તેવો નિર્ણય ન પણ હોય, તો તત્ત્વને બતાવનારા ગીતાર્થ ગુરુનો નિર્ણય કરી તેમની પાસેથી તત્ત્વને જાણવા ઉદ્યમ કરે; અને ગીતાર્થ ગુરુ કોઈક સ્થાનમાં ૫૨લોકવિષયક વિપરીત બોધવાળા હોય તો તેમના વચનથી સમ્યગ્દષ્ટિને પણ વિપરીત બોધ થઈ શકે છે, અને ક્વચિત્ અનાભોગથી પણ સમ્યગ્દષ્ટિને વિપરીત બોધ થઈ શકે છે; પણ મિથ્યાદૃષ્ટિને સ્વમાન્યતાના રાગથી તત્ત્વને જોવામાં પ્રવૃત્ત દૃષ્ટિ હોવાને કારણે જેવો વિપરીત બોધ થાય છે, તેવો વિપરીત બોધ સમ્યગ્દષ્ટિને હોતો નથી; કેમ કે સમ્યગ્દષ્ટિમાં ભગવાનના વચનથી અન્યથા રુચિ કરાવનાર કર્મનો ઉપશમભાવ વર્તે છે. તેથી ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે. માટે સમ્યગ્દષ્ટિમાં શમાદિ લિંગ દ્વારા શિષ્યત્વનો વ્યવહાર થાય છે. તેથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનઅભાવવાળો જ પુરુષ શિષ્ટ છે, એ પ્રકારની કુસૃષ્ટિ વડે શું ?=એ પ્રકારની કુત્સિત કલ્પના કરવી ઉચિત નથી. ૩૨૪ Jain Education International કૃતિ સમ્યદૃષ્ટિાિિશષ્ઠા ||૧|| * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy