SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ અહીં વિશેષ એ છે કે કર્મમળની અલ્પતાને કારણે જેઓને મોક્ષ પ્રત્યે દ્વેષ નથી, પરંતુ ઉપેક્ષા છે, તેવા જીવોમાં સ્વાભાવિક મુક્તિઅદ્વેષ વર્તે છે. તેના કારણે સાંસારિક ફળની આશંસાથી તેઓ ધર્મઅનુષ્ઠાન કરતા હોય તોપણ ઉપદેશ આદિ સામગ્રીથી તે સાંસારિક ફળની અપેક્ષા બાધ પામે તેવી છે, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ બને છે; અને અભવ્યાદિ જીવોને મુક્તિઅદ્વેષ કર્મમળની અલ્પતાને કારણે નથી, પરંતુ કર્મમળ ઘણો હોવાને કારણે સંસારનો રાગ ઘણો છે, તેથી સંસારના ભોગરહિત મોક્ષ પ્રત્યે તેઓને દ્વેષ થાય તેમ છે. આમ છતાં પોતાને ઇષ્ટ એવાં સ્વર્ગનાં સુખોમાં મોક્ષનો દ્વેષ વ્યાઘાતક છે. તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા નથી, પરંતુ ઉપેક્ષા કરે છે. તેથી તેમનો મુક્તિઅદ્વેષ બાધ્યફળઅપેક્ષાવાળો નથી, માટે તેઓનું અનુષ્ઠાન તહેતુ બનતું નથી. IIરવામાં અવતરણિકા : યતા – અવતરણિકાર્ય : જે કારણથી – ભાવાર્થ : શ્લોક-૨૧માં કહ્યું કે બાધ્યસ્વભાવવાળી ફળની અપેક્ષા પણ કારણપણારૂપે મુક્તિઅષની અપેક્ષા રાખે છે. મુક્તિઅષની કેમ અપેક્ષા રાખે છે ? તેમાં હેતુ બતાવવા અર્થે કહે છે, યત:=જે કારણથી, શ્લોકમાં બતાવાશે તે પ્રમાણે છે, તે કારણથી બાધ્યસ્વભાવવાળી ફળની અપેક્ષા મુક્તિઅષની અપેક્ષા રાખે છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. શ્લોક : अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी । मुक्त्यद्वेषे तदन्यस्यां बुद्धिमार्गानुसारिणी ।।२२।। અન્વયાર્થ : રિંગઅબાધ્ય એવી જાતે ફળની અપેક્ષા, મોક્ષાર્થશાસ્ત્રવાપાતિની=મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણતા ઘાત કરનારી છે. તઋતે કારણથી= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy