SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પાતંજલયોલક્ષણવિચારદ્વાિિશકા/સંકલના યોગનિરોધકાળની ચમક્ષણમાં મોક્ષરૂપ કાર્યને અનુરૂપ એવું કુર્તરૂપત્ર આત્મામાં પ્રગટે છે, તેની ઉત્તરમાં આત્મા મુક્ત બને છે. આનાથી એ ફલિત થાય છે કે જેમ કોઈ સાધક વિદ્યાસિદ્ધિનો પ્રારંભ કરે તેની પૂર્વે પૂર્વતૈયારી કરે છે, તેમ મોક્ષરૂપ લક્ષ્યને સાધવા માટે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિ કરવા પૂર્વે પૂર્વસેવારૂપે અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ જીવો પ્રવૃત્તિ કરે છે અર્થાત્ અપુનબંધક જીવની અને સમ્યગ્દષ્ટિ જીવની સર્વ ધર્મક્રિયા પૂર્વસેવારૂપ છે; અને પાંચમા ગુણસ્થાનકમાં પ્રવેશેલ દેશવિરતિધર શ્રાવક અને છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રવેશેલ સર્વવિરતિધર સાધુ અધ્યાત્માદિ યોગની જે પ્રવૃત્તિ કરે છે, ત્યારથી યોગનો પ્રારંભ થાય છે; અને તે યોગનો પ્રારંભ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પામતાં ધ્યાન અને સમાયોગમાં આવે છે, અને અંતે યોગનિરોધના ચરમક્ષણમાં પ્રકર્ષવાળો થાય છે, અને તેના ફળરૂપે જેમ વિદ્યાસાધકને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષસાધક યોગીને મોક્ષની સિદ્ધિ થાય છે. હવે પતંજલિ ઋષિએ “ચિત્તવૃત્તિનિરોધ એ પ્રકારનું યોગનું લક્ષણ કર્યું, તે યોગનું લક્ષણ સ્વીકારીએ તો તે લક્ષણ અધ્યાત્મ અને ભાવનાથી શુદ્ધ એવા ચિત્તમાં જતું નથી, પરંતુ એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં તે લક્ષણ જાય છે, અને તેમ સ્વીકારીએ તો અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાંથી ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય યોગમાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સંગત થશે. વસ્તુતઃ યોગનો પ્રારંભ અધ્યાત્માદિ કાળમાં થયેલો છે; કેમ કે અધ્યાત્મ અને ભાવનાકાળમાં સાધક યોગીઓ મોહના ઉમૂલન માટે શાસ્ત્રાનુસારી ઉચિત વ્યાપાર કરે છે, તેથી તેમનામાં યોગ છે; છતાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અધ્યાત્મ અને ભાવનામાં અવ્યાપ્ત થાય છે. તેથી પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સર્વથા નિર્દોષ નથી. ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ ‘ચિત્તવૃત્તિનિરોધઃ' અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત થાય છે, ત્યાં પતંજલિ ઋષિ શ્લોક-૩૧માં સમાધાન કરે છે : ચિત્ત પાંચ પ્રકારનું છે : (૧) ક્ષિપ્ત (૨) મૂઢ (૩) વિક્ષિપ્ત (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. આ પાંચ પ્રકારના ચિત્તમાં એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત સમાધિમાં ઉપયોગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy