SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/સંકલના કરાવે છે, અને તે કર્મ યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે અપવર્ગનું કારણ બને છે. આ રીતે પુરુષ કથંચિત્ દ્રવ્યથી ધ્રુવ છે અને પર્યાયથી અધુવ છે, તેમ માનનાર જૈનદર્શન જય પામે છે, એમ શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી શ્લોક-૧માં પતંજલિ ઋષિએ કરેલું ‘ચિત્તવૃત્તિનિરોધ' એ પ્રમાણેનું યોગનું લક્ષણ સર્વથા દુષ્ટ નથી, તોપણ ‘ચિત્તવૃત્તિનિરોધ' એ યોગનું લક્ષણ લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત થતું નથી, તે બતાવવા અર્થે શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રી કહે છે : જેમ ઘટની સામગ્રી દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ છે, અને કોઈ ઘટનો અર્થી પુરુષ ઘટની તે સામગ્રી એકઠી કરે, તે ઘટનિષ્પત્તિનું કારણ હોવા છતાં જ્યાં સુધી ઘટનિષ્પત્તિની ક્રિયાનો પ્રારંભ થયો ન હોય ત્યાં સુધીની સામગ્રી એકઠી કરવાની ક્રિયા ઘટની પૂર્વ તૈયારી કહેવાય; અને માટીને મસળીને ઘટ બનાવવાનો પ્રારંભ કરે ત્યારથી ઘટ બનાવવાની ક્રિયાનો પ્રારંભ થાય છે; અને તે ક્રિયા દ્વારા માટી તે તે અવસ્થાને પામતી ઘટનિષ્પત્તિની પૂર્વેક્ષણમાં કુર્ઘદૂરપત્વવાળી બને છે, અર્થાત્ ઘટનું કુર્તરૂપત્વ તે અવસ્થાવાળી માટીમાં છે, અને કુર્તરૂપત્વવાળી તે માટી ઉત્તરક્ષણમાં ઘટરૂપે પરિણમન પામે છે. ' તેમ આત્મા પણ મોક્ષનો અર્થ બને ત્યારે અપુનબંધક અવસ્થામાં કે સમ્યગ્દષ્ટિની અવસ્થામાં જે કાંઈ ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પૂર્વસેવારૂપ છે અર્થાત્ જેમ ઘટની સામગ્રીને એકઠી કરવાની ક્રિયા ઘટ બનાવવાની પૂર્વતૈયારી છે, તેમ અધ્યાત્માદિ યોગનો પ્રારંભ કરવાની પૂર્વતૈયારી રૂપ અપુનબંધક જીવની અને સમ્યગ્દષ્ટિ જીવની સર્વધર્મ પ્રવૃત્તિ પૂર્વસેવારૂપ પૂર્વતૈયારી છે. વળી જેમ કુંભાર માટીમાંથી ઘટ બનાવવાનો પ્રારંભ કરે છે, તેમ સાધક આત્મા અધ્યાત્મ અને ભાવનાની ભૂમિકામાં પ્રવેશ કરે છે, ત્યારે રત્નત્રયીની પરિણતિરૂપ યોગનો પ્રારંભ થાય છે; અને જેમ કુંભારના પ્રયત્નથી માટી સ્થાસ, કોશ, કુસુલ આદિ અવસ્થાને ક્રમસર પામતી ચરમસણમાં ઘટનિષ્પત્તિ માટે કુર્તરૂપત્વવાળી બને છે, અને ઉત્તરક્ષણમાં તે કુર્તરૂપત્વવાળી માટી ઘટરૂપે બને છે, તેમ અધ્યાત્માદિ યોગના પ્રારંભથી આત્મામાં મોક્ષને અનુકૂળ વ્યાપારનો પ્રારંભ થાય છે, જે ઉત્તર ઉત્તર અવસ્થાને પામતો અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપે પરિણમન પામે છે, અને વૃત્તિસંક્ષયના બીજા ભેદરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy