SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલચોલક્ષણવિચારદ્વાર્ગિશિકા/સંકલના ૧૫ જીવોને સંસારના પરિભ્રમણ સ્વરૂપ સર્વ પ્રપંચની પ્રાપ્તિ થાય છે. તેથી સર્વ પ્રપંચની પ્રાપ્તિનું કારણ એવી મોહની પરિણતિ તે બુદ્ધિનો પરિણામ છે, પરંતુ બુદ્ધિથી અતિરિક્ત અહંકાર અને પ્રકૃતિ સ્વરૂપ કોઈ અન્ય તત્ત્વ નથી, એમ શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ કહેલું છે. વળી પાતંજલ મતને બતાવતાં શ્લોક-૧૫/૧૬માં ગ્રંથકારશ્રીએ કહેલ કે પાતંજલ મતાનુસાર પુરુષના સંનિધાનથી સજ્વમાં અભિવ્યંગ્ય ચૈતન્ય પ્રગટે છે; અને તેમ સ્વીકારીએ તો પતંજલિ ઋષિ પુરુષને ફૂટસ્થ નિત્ય કહે છે, તે સંગત થાય નહિ; કેમ કે સત્ત્વમાં ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ છે એમ સ્વીકારવામાં આવે તો પુરુષ કોઈ કાર્ય કરે છે, અને જે કાર્ય કરતું હોય તે કૂટસ્થ નિત્ય છે, તેમ કહી શકાય નહિ. વળી પતંજલિ ઋષિ કહે છે કે સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ નથી, પરંતુ સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો વ્યંજક પુરુષ છે. માટે પુરુષને કૂટનિત્ય સ્વીકારવામાં દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે : સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ નથી, પરંતુ સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો વ્યંજક પુરુષ છે, તેમ સ્વીકારીએ તો, સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્શક્તિ પ્રત્યે પુરુષ નિમિત્ત કારણ બને, અને તેમ સ્વીકારીએ તો સંસાર અવસ્થામાં સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતુશક્તિ પ્રત્યે પુરુષ નિમિત્ત બને છે, ત્યારે ભોગનું નિમિત્ત કારણ બને છે; અને મોક્ષ અવસ્થામાં સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતુશક્તિ પ્રત્યે નિમિત્ત કારાણ બનતો નથી ત્યારે ભોગનું અનિમિત્ત કારણ બને છે. તેથી એક જ પુરુષમાં ભોગના નિમિત્તપણારૂપ અને અનિમિત્તપણારૂપ ધર્મના ભેદને કારણે પુરુષનો કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે. તેથી પુરુષ પરિણામી છે, તેમ સ્વીકારવું આવશ્યક છે, એ પ્રમાણે શ્લોક-૨૭/૨૭માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી પતંજલિ ઋષિ સર્વાત્મસાધારણ પ્રકૃતિને એક માને છે, અને તેમ સ્વીકારવાથી સાધના દ્વારા એક આત્માની મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ આવે. તેના નિવારણ માટે પતંજલિ ઋષિ પ્રત્યાત્મ બુદ્ધિભેદ સ્વીકારે છે, અને બુદ્ધિના વ્યાપારના ભેદથી એક આત્માની સાધના દ્વારા મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ નહિ આવે તેમ કહે છે. તેનું નિવારણ કરતાં શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રી દૂષણ આપે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy