SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ////// પાતંજલયોલક્ષણવિચારદ્વાબિંશિકા/સંકલના દ્વાદિંશદ્વાચિંશિકા અંતર્ગત ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારદ્ધાજંશિકાના પદાર્થની સંક્ષિપ્ત સંકલના ૧૦મી યોગલક્ષણબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું લક્ષણ કર્યું કે “મોક્ષના મુખ્ય હેતુનો જે વ્યાપાર' તે યોગ છે; હવે ગ્રંથકારશ્રી તે યોગનું લક્ષણ સ્થિર કરવા અર્થે, પતંજલિ ઋષિ જે ‘ચિત્તવૃત્તિનિરોધ” યોગનું લક્ષણ કરે છે, તે પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે – પતંજલિ ઋષિ શ્લોક-૧માં ચિત્તવૃત્તિનિરોધને યોગ કહે છે, અને ચિત્ત શું છે, તે બતાવવા માટે શ્લોક-૧/૨માં ચિત્તની બે અવસ્થા ગ્રહણ કરીને બતાવે છે કે જે ચિત્તમાં અવિકારી એવા દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે તે નિશ્ચલ ચિત્ત છે. અને વિષયાકાર પરિણત એવા જે ચિત્તમાં પુરુષ પાણીમાં ચાલતા ચંદ્રના જેવો ભાસે છે, તે ચલ ચિત્ત છે. ત્યારપછી શ્લોક-૩માં (૧) માન, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, એ પ્રકારે ચિત્તની પાંચ વૃત્તિઓ બતાવે છે, અને ત્યારપછી શ્લોક-૪/૫ અને ઉના પૂર્વાર્ધમાં તે ચિત્તની પાંચે વૃત્તિઓનું સ્વરૂપ બતાવ્યું છે. તે પાંચે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ છે અર્થાત્ તે પાંચે વૃત્તિઓ પોતાના કારણમાં શક્તિરૂપે અંતર્મુખથી રહે અને બાહ્યવૃત્તિનો વિઘાત થાય, એ ઉભયરૂપ નિરોધ છે, એમ શ્લોક-કુના ઉત્તરાર્ધમાં કહેલ છે. ત્યારપછી શ્લોક-૭માં નિરોધનો ઉપાય બતાવતાં પતંજલિ ઋષિ કહે છે કે નિરોધ માટેનો અભ્યાસ કરવાથી અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. નિરોધ માટેનો અભ્યાસ એટલે વૃત્તિરહિત ચિત્તનો સ્વરૂપનિષ્ઠ પરિણામમાં સ્થાપન કરવાનો યત્ન, તે અભ્યાસ છે, અને તે અભ્યાસ દીર્ઘકાળ સુધી નિરંતર અને આદરપૂર્વક કરવામાં આવે તો સ્થિર થાય છે, એમ શ્લોક-૭માં બતાવેલ છે. વળી વૈરાગ્ય ચિત્તને બહાર ભટકતું બંધ કરીને સ્વરૂપમાં સ્થિર કરવા માટે ઉપયોગી છે. તેથી ચિત્તનિરોધ માટે યોગીઓ જે અભ્યાસ કરે છે, તેમાં વૈરાગ્ય ઉપકારક બને છે. તે વૈરાગ્ય બે પ્રકારે છે : (૧) અપરવૈરાગ્ય અને (૨) પરવૈરાગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy