SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ આત્માના જ્ઞાનગુણમાં વિશ્રાંતિ માટે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે બાહ્ય પદાર્થોને છોડીને અંતર્મુખ સ્વરૂપમાં વિશ્રાંત કરવાને અનુકૂળ વ્યાપારવાળા બને છે, તેથી સંસારી જીવોનો અંતર્મુખ અને બહિર્મુખ બંનેમાંથી ક્રમસર કોઈક એક ઉપયોગ કરવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. સારાંશ : * પ્રચુર કર્મવાળી અવસ્થામાં સંસારી જીવો માત્ર બહિર્મુખવ્યાપારવાળા હોય છે. સાધનાની પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓ ક્યારેક અંતર્મુખવ્યાપારવાળા થાય છે તો ક્યારેક પ્રમાદને વશ બહિર્મુખ વ્યાપારવાળા પણ થાય છે. કસુઅભ્યસ્ત યોગમાર્ગવાળા યોગીઓ બહિર્મુખવ્યાપારને તિરોધાન કરીને અંતર્મુખવ્યાપારવાળા થાય છે અને સાધનાની પૂર્ણતા થાય ત્યારે સર્વકર્મથી મુક્ત થવાથી સ્વસ્વરૂપમાં વિશ્રાંતિવાળા થાય છે. પરલા અવતરણિકા - ૧૦મી યોગલક્ષણ બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ સ્વઅભિમત તનુશ્ય હેતુવ્યાપારતિયોગનું લક્ષણ કર્યું, અને તે લક્ષણને સ્થિર કરવા માટે અન્ય દર્શનકારના યોગના લક્ષણની વિચારણા કરવા માટે પ્રસ્તુત બત્રીશી રચેલ છે. આથી ૧૧મી બત્રીશીના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ કહેલ કે સ્વઅભિમત યોગનું લક્ષણ અન્યના યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્થિર થાય છે, માટે અત્યના યોગના લક્ષણનો આ પ્રારંભ છે. ત્યારપછી પતંજલિ ઋષિએ યોગશ્ચિત્તવૃત્તિનિરોધકચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ કર્યું, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧ થી ૧૦ સુધી કર્યું. ત્યારપછી ગ્રંથકારે શ્લોક-૧૧માં આપત્તિ આપી કે જો સાંખ્યદર્શનકાર આત્માને અપરિણામી માને તો યોગમાર્ગ અને યોગનું લક્ષણ વગેરે અર્થ વગરના સિદ્ધ થાય; કેમ કે જો આત્મા અપરિણામી સ્વીકારવામાં આવે તો સંસારી આત્માને મોક્ષની પ્રાપ્તિ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. તેની ચર્ચા અત્યાર સુધી કરીને સ્પષ્ટ સ્થાપન કર્યું કે આત્મા પરિણામી છે અને કથંચિ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ છે. હવે પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy