SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ ૧૪૭ સાંખ્યદર્શનકાર પુરુષને ચિદ્રપ માને છે અને બુદ્ધિને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી માને છે, તેથી ચિદ્રપ આત્મા કરતાં બુદ્ધિ જુદી છે એમ માને છે. એ માન્યતાને સામે રાખીને સાંખ્યદર્શનકાર તરફથી કોઈ શંકા કરે છે - સાંખ્યદર્શનકાર તરફથી અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્વયના વિરોધની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા યુક્તિપૂર્વક નિરાકરણ : પુરુષ વિષયગ્રહણમાં સમર્થ છે માટે ચિદ્રપ છે અર્થાત્ જ્ઞાનગુણવાળો છે, અને બુદ્ધિ વિકલ્પાત્મક છે અને બુદ્ધિગુણવાળો પુરુષને સ્વીકારવામાં આવે તો ચિદ્રપપણું હોવાને કારણે અંતર્મુખ અને બુદ્ધિગુણવાળો હોવાને કારણે બહિર્મુખ આત્માને સ્વીકારવો પડે અને તેમ સ્વીકારવાથી એક આત્મામાં અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્રયનો વિરોધ આવે અર્થાત્ ચિદ્રપ આત્મા વિષય ગ્રહણ કરવા સમર્થ હોવા છતાં તે તે વિષયોમાં વિકલ્પ કરતો નથી, પરંતુ ચૈતન્યસ્વરૂપમાં વિશ્રાંત છે, તેથી અંતર્મુખવ્યાપારવાળો છે. છતાં વિકલ્પાત્મક બુદ્ધિગુણવાળો પુરુષ સ્વીકારવામાં આવે તો બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પ કરનાર પુરુષ છે, તેથી બહિર્મુખવ્યાપારવાળો પુરુષ છે તેમ માનવું પડે, માટે એક જ પુરુષને અંતર્મુખ અને બહિર્મુખ એમ બે વ્યાપારવાળો માનવો પડે, અને અંતર્મુખ અને બહિર્મુખ એમ બે વ્યાપારવાળો પુરુષ સ્વીકારી શકાય નહિ; કેમ કે પુરુષનો એક ઉપયોગ સ્વભાવ છે. જો પુરુષનો અંતર્મુખ ઉપયોગ હોય તો બહિર્મુખ ઉપયોગ હોઈ શકે નહિ, અને પુરુષનો બહિર્મુખ ઉપયોગ હોય તો અંતર્મુખ ઉપયોગ હોઈ શકે નહિ. એ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - સંસારી અવસ્થામાં જીવો ક્યારેક બહિર્મુખઉપયોગવાળા હોય છે તો ક્યારેક અંતર્મુખઉપયોગવાળા હોય છે, તેથી એક જીવને આશ્રયીને ક્રમિક અંતર્મુખ અને બહિર્મુખરૂપ એક ઉપયોગ જીવનો સ્વભાવ છે, તેથી એક જીવમાં ક્રમસર અંતર્મુખ કે બહિર્મુખ બે વ્યાપાર સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે સંસારી જીવોને પ્રતીતિ છે કે જ્યારે પોતે બાહ્ય પદાર્થોને આશ્રયીને આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ વિકલ્પો કરે છે ત્યારે તેઓ બહિર્મુખવ્યાપારવાળા છે, અને જ્યારે કાંઈક વિવેક બુદ્ધિ ખૂલે છે ત્યારે બહિર્મુખવ્યાપારનો અવરોધ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy