SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારવાત્રિશિકા/શ્લોક-૨૪ ૧૧૫ થયે છતે કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે કારણથી, બુદ્ધિ પુરુષનું જ નામ થાય કૃત્યાદિના આશ્રયરૂપ જે બુદ્ધિને સાંખ્યદર્શનકાર સ્વીકારે છે, તે જેનદર્શનના મત પ્રમાણે આત્મા છે, તેથી સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે તે બુદ્ધિ આત્મા જ છે. પુન: ... અર્િ ા વળી તત્વાંતરનો વ્યય થાય સાંખ્યદર્શનકાર પ્રકૃતિમાંથી બુદ્ધિની ઉત્પત્તિ સ્વીકારે છે, અને તેમાંથી અહંકારાદિ અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તેમ સ્વીકારે છે, તે સર્વ તત્વનો વ્યય થાય. (અહંકારાદિ તત્વનો વ્યય કેમ થાય ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે.) ર૪l સત્ત્વાકીનાં ધર્માનાં સ્થાપિ =સ્વાશ્રયેડ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે સત્ત્વાદિ ધર્મોનો પરમાં તો ફળાધાનનો સંભવ છે, પરંતુ સ્વાશ્રયમાં પણ ફલાધાનનો સંભવ છે. જ સવારીનાં અહીં માત્ર થી રજસું અને તમસુ ધર્મનું ગ્રહણ કરવું. જ દ કિતત્ત્વોચ્છેઃ અહીં આવ થી પ્રકૃતિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : જે સંહત્ય અર્થક્રિયાકારી વસ્તુ છે તે પરાર્થ છે' એ સાંખ્યદર્શનકારના અનુમાનનું નિરાકરણ : શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કૃત્યાદિના આશ્રય તરીકે આત્માને સ્વીકારી શકાય, અને કૃત્યાદિનો આશ્રય સાંખ્યદર્શનકાર બુદ્ધિને સ્વીકારે છે, તેમ સ્વીકારીએ તો આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ત્યાં સાંખ્યદર્શનકારે યુક્તિ આપી કે જેમ શયા, આસનાદિ અનેક પરમાણુઓથી એકઠા થઈને બનેલા છે, અને તે શયા, આસનાદિ કોઈકના ભોગફળનું કારણ બને છે, તેમ સત્ત્વ, રજસું અને તમસુ ધર્મોથી બનેલું ચિત્ત પણ કોઈકના પ્રયોજનને કરનારું છે, અને તે ચિત્ત જેના પ્રયોજનને કરે છે, તે પુરુષ છે. તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy