SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાસિંચિકા/શ્લોક-૨૨ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં કોઈ બાધક નથી. તેની સામે પૂર્વપક્ષીએ કહેલ કે કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આત્માને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માને પરિણામી સ્વીકારવા છતાં અન્વયરૂપે આત્મા નિત્ય સ્વીકારી શકાય છે, અને તેની પુષ્ટિ કરવા માટે યુક્તિ આપી કે ચિત્ત પણ પ્રતિક્ષણ નશ્વર છે, છતાં જેમ ચિત્તનો અન્વયે તમે સ્વીકારો છો, તેના પણ અસ્વીકારની આપત્તિ આવે. તેનું નિરાકરણ કરવા માટે સાંખ્યદર્શનકાર કહે છે – અતીતાનાd .. રતિ રે ? સતીતાના પતિ ... ૪/૧૨, તે વ્યવસૂમાર ..... ૪/૨૩, પરાવર્તન્... ૪/૨૪ એ પ્રમાણે પાતંજલ યોગસૂત્રનું પર્યાલોચન કરવાથી ઘર્મના ભેદમાં પણ=ચિત્તના પ્રતિક્ષણ પરાવર્તન પામતા ધર્મના ભેદમાં પણ, તેમનો=ચિત્તના ધર્મોનો, ચિત સાથે અંગાંગિભાવ પરિણામરૂપે એકપણું હોવાથી ચિત્તનો અનન્વય નથી અર્થાત્ અવય છે, એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તાવ ..... શોમતે, તે આકપાતંજલ યોગસૂત્રમાં કહ્યું એ પ્રમાણે ચિત્તના ધર્મોનો અંગાંગિભાવ પરિણામ હોવાને કારણે એકપણું છે માટે ચિત્તનો અવય છે તે આ, પર્યાલોચન કરતાં અનુભવને અનુરૂપ તેનું સ્વરૂપ વિચારતાં, આત્મામાં જ શોભે છે=ચિત્તનો અવય પતંજલિ ઋષિ સ્વીકારે છે, તે અવયરૂપ ચિત આત્મા છે; અને જે ચિત્તના ધર્મો સ્વીકારે છે, તે આત્માના જ ધર્મો છે, તેમ અનુભવ અનુસાર સ્વીકારવું શોભે છે. અહીં સાંખ્યદર્શનકાર કહે કે “આત્મા ફૂટસ્થ છે' એ પ્રકારની શ્રુતિ છે, તેથી આત્માનો અન્વય સ્વીકારીને અનુભવાતા ચિત્તના પરિણામો આત્માના પરિણામો છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે આત્માને ફૂટસ્થ કહેનારી શ્રુતિનો વિરોધ આવે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ફૂદીત્વશ્રતઃ ... વિમાનીયમ્ | ફૂટસ્થપણાની શ્રુતિની=આત્માને ફૂટસ્થપણાને કહેનારી શ્રુતિની, શરીરાદિ ભેદપણારૂપે પણ ઉપપત્તિ હોવાથીeતે શ્રુતિની સંગતિ હોવાથી, આત્માનો અવય સ્વીકારીને અનુભવાતા ચિતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy