SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ગ્રંથની‘પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએપ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા : કાશીના ધૂરંધર પંડિતો દ્વારા ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ બિરુદને પામેલા પૂ. શ્રી યશોવિજયજી મહારાજાએ ષડ્દર્શનના અઠંગ-અભ્યાસની શાખ પૂરતા ગ્રંથો રચવામાં તો પોતાની કલમની કમાલ દર્શાવી છે, પરંતુ એમાં પણ ઇતરદર્શનોના પક્ષને પૂર્વપક્ષરૂપે રજૂ કરતાં ઉપાધ્યાયજી મહારાજ જાણે એ એ દર્શનના મર્મજ્ઞ વિદ્વાનરૂપે ખડા થયેલા દેખાય છે. બૌદ્ધોને પૂર્વપક્ષરૂપે રજૂ કરતી વખતે જાણે ઉપાધ્યાયજી મહારાજમાં વસુબંધુ, દિનાગ ને ધર્મકીર્તિનું દર્શન થાય છે. મીમાંસકોની મીમાંસા કરવા પૂર્વે એમના મતને બતાવતા ઉપાધ્યાયજી મહારાજમાં જાણે કુમારિલ ભટ્ટ અને પ્રભાકરની પ્રતિભા અને પ્રતિમા પાંગરતી જણાય છે. વેદાંત પર જ્યારે તેઓએ પોતાની કલમ ચલાવી છે, ત્યારે એમાં એક સમર્થ વેદાંતાચાર્યનું વિજ્ઞાન છતું થઈ રહેલું જણાય છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને પૂ. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ, આ બંને યોગાચાર્યને બાદ કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ યોગના ક્ષેત્ર પર પણ અભૂતપૂર્વ અભિયાન આરંભ્યું છે, અને અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, યોગવિંશિકા, ષોડશક ટીકા, દ્વાત્રિંશદ્વાત્રિંશિકા આદિ કૃતિઓમાં એમણે યોગનું અભિનવ નવનીત પીરસ્યું છે. આ યોગ-નવનીતમાં યોગવાસિષ્ઠ, ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર તથા તૈત્તિરીયોપનિષદ્ જેવા અજૈન ગ્રંથોનાં અવતરણો પૂ. ઉપાધ્યાયજી મહારાજની સર્વતોમુખી સાહિત્ય-સાધનાની શાખ પૂરી પાડે છે. ' પ્રકરણપ્રદેશમાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજની પ્રજ્ઞાએ પ્રવેશ મેળવ્યો છે. પ્રકરણક્ષેત્રે ક્લિષ્ટ ગણાતા શ્રી કમ્મપયડી ગ્રંથ પર એમણે વિશાળ શબ્દદેહ ધરાવતી ટીકા લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy