SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૯ ૧૩ અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાની અહંકાર-મમકારરૂપ સન્નિધિ થાય છે, તે દેવતાના જ્ઞાનના ઉપયોગરૂપ છે, અને જ્યારે તે દેવતાનો ઉપયોગ અન્ય વિષયમાં હોય ત્યારે તે જ્ઞાનનો નાશ થશે. તેથી પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ થશે નહિ. તેના નિરાકરણ માટે તૈયાયિક કહે છે – જ્ઞાનસ્થ નાડપિ જ્ઞાનનો નાશ થવા છતાં પણ દેવતાના અહંકારમમકારરૂપ જ્ઞાનના ઉપયોગનો નાશ થવા છતાં પણ, સંસ્કાર હોવાથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર આધાત થયેલ હોવાથી, પૂજાના ળની અનુપપત્તિ નથી પૂજા કરનારને અદષ્ટવિશેષની પ્રાપ્તિ કરાવે એવા શક્તિવિશેષરૂપ સંસ્કાર પ્રતિમામાં પ્રગટ થયેલ હોવાથી પૂજા કરનારને ફળની અપ્રાપ્તિ નથી, અને અસ્પૃશ્યના સ્પર્ધાદિ દ્વારા, તેનો નાશ છેઃ પ્રતિમામાં રહેલ સંસ્કારનો નાશ છે, એ પ્રમાણે પર એવો તૈયાયિક કહે છે, તે નિરસ્ત થાય છે=ગ્રંથકારના પૂર્વના કથનથી તિરસ્ત થાય છે. પૂર્વના કથન દ્વારા પરનું વચન કઈ રીતે નિરસ્ત થાય? તેમાં હેતુ કહે છે – વીતરાવસ્થ ... આ રીતે-પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સદ્ધિધાન થાય છે, એમ જે તૈયાયિકોએ કહ્યું એ રીતે, વીતરાગદેવતા સ્થાનમાં કહેવા માટે અશક્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે સરાગ એવા દેવમાં તો પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવનું સન્નિધાન થઈ શકે, તેમ સ્વીકારી શકાશે. માટે તૈયાયિક કહે કે અમારું કથન અસંગત નથી. તેનું નિરાકરણ કરવા માટે બીજો હેતુ કહે છે – સરા.. અને સરાગમાં દેવત્વબુદ્ધિનું જ મિથ્યાપણું છે. પૂર્વમાં કહ્યું કે સરાગદેવમાં દેવત્વબુદ્ધિ મિથ્યા છે, માટે પૂર્વપક્ષીનું કથન ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી નૈયાયિક કહે કે અમારા દેવ પ્રતિષ્ઠાવિધિ દ્વારા સન્નિધાન કરીને અમને ફળ આપે છે, તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે, એમ સ્વીકારવામાં અમારા મતે કોઈ દોષ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – સેવતા સર્વજ્ઞત્વમાવે.... દેવતામાં સર્વજ્ઞપણાનો અભાવ હોતે છતે વ્યાસંગદશામાં=અન્ય પ્રવૃત્તિમાં ઉપયુક્ત હોવાને કારણે આ પ્રતિમામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy