SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૬૧ પ્રતિમામાં પ્રતિસંધાન થાય છે. વળી, જેમ પ્રતિષ્ઠા કરાવનારના વંશજોને આ પ્રકારનું પ્રતિસંધાન થાય છે, તેમ અન્ય શ્રાવકોને પણ પ્રતિસંધાન થાય છે કે “તે તે પરિવારના પૂર્વજોએ આ પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાવી છે.” આ રીતે જેઓને પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન થાય છે, તેઓને પ્રતિષ્ઠાવિધિના પ્રતિસંધાનને કારણે ભગવાનના વચનાનુસાર પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર થાય છે; કેમ કે ભગવાને સંસારનો ઉચ્છેદ કરી વીતરાગ થવાના ઉપાયરૂપે દરેક વિધિ બતાવેલ છે. તેથી જેને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' તેવું પ્રતિસંધાન થાય છે, તેને ભગવાનના વચનાનુસાર કરાતી પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર થાય અને આ પ્રતિષ્ઠાવિધિ ભગવાનના વચનાનુસાર હોવાથી પ્રતિષ્ઠાવિધિ પ્રત્યેનો આદર ભગવાન પ્રત્યેના બહુમાનમાં વિશ્રાંત થાય છે, અને ભગવાનનું બહુમાન ભગવાનના ગુણોના પક્ષપાતપૂર્વક ભગવાનના ગુણોમાં એકાગ્રપરિણામમાં વિશ્રાંત થાય છે, અને ભગવાનના ગુણોમાં આદરપૂર્વકનો એકાગ્રપરિણામ ભગવાન સદશ થવામાં પ્રતિબંધક કર્મોના નાશનું કારણ બને છે. શ્લોકના પૂર્વાર્ધથી પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન પૂજા કરનારને કઈ રીતે નિર્જરાનું કારણ થાય છે, તે બતાવ્યું. હવે ગાથા-૧૮માં કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા થાય છે અને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે. ‘તે તેમ જ છે” તેને દૃઢ કરવા માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગનું પ્રતિમામાં સન્નિધાન થતું નથી, તે બતાવવા અર્થે કહે છે – રાગરહિત એવા વીતરાગનું પ્રતિમાના સમીપ આગમનરૂપ કાયિક સન્નિધાન, અને “આ હું છું” અથવા “આ મારી પ્રતિમા છે' એ પ્રકારનું માનસ સન્નિધાન મંત્ર-સંસ્કારાદિ દ્વારા સંભવતું નથી=પ્રતિષ્ઠાવિધિકાળમાં બોલાતા મંત્રોના સંસ્કારાદિ દ્વારા થતું નથી. ટીકા : एतेन प्रतिष्ठाविधिना प्रतिमादौ देवतासन्निधिरहङ्कारममकाररूपः क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाहार्यारोपसम्भवात्, ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलानुपपत्तिः अस्पृश्यस्पर्शनादिना च तत्राश इति यत्परैरुच्यते तन्निरस्तं भवति, वीतरागदेवस्थले इत्थं वक्तुमशक्यत्वात्, सरागे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy