SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ ૩૭ નોંધ :- ષોડશક-૭/૧૧ ઉદ્ધરણમાં ‘મંત્રન્યાસભ્ય’નો ‘વ’ પાદપૂર્તિમાં છે અને ‘તથા’ શબ્દ ‘અને’ અર્થમાં છે. ભાવાર્થ : જિનબિંબ નિર્માણમાં વિશુદ્ધભાવ અને મંત્રન્યાસ : જિનગૃહ નિર્માણ કર્યા પછી શીઘ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, એમ શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું. તેથી જિનબિંબના નિર્માણ પૂર્વે શું ઉચિત કૃત્યો કરવાં જોઈએ ? તે શ્લોક-૧૧ થી ૧૩ સુધી બતાવ્યું. હવે જિનબિંબ નિર્માણ કરાવતી વખતે કોઈક રીતે અન્યનું ધન પોતાના ધનમાં પ્રવિષ્ટ હોય, એવા ધનથી જિનબિંબ નિર્માણ કરાવવામાં આવે ત્યારે શ્રાવકે ‘તે ધનથી થનારા પુણ્યનું ફળ તેને પ્રાપ્ત થાઓ.' એવો સ્પષ્ટ વિચાર કરીને પોતાના ભાવની શુદ્ધિ કરવી જોઈએ, જેથી પરના ધનથી પુણ્ય કરવાનો અભિલાષ થવાને કારણે પોતાને શુદ્ધ ભાવ પ્રગટે છે, અને તે શુદ્ધ ભાવથી યુક્ત એવા ન્યાયાર્જિત વિત્તથી જિનપ્રતિમાનું નિર્માણ થાય છે. વળી જિનપ્રતિમાનું નિર્માણ થતાં પૂર્વે જિનપ્રતિમાના નિર્માણ અર્થે લાવેલા આરસ આદિ સન્મુખ બેસીને શ્રાવક, પ્રણવ છે આદિમાં જેને અને સ્વાહા છે અંતે જેને એવો ઋષભાદિ ભગવાનના નામનો મંત્રન્યાસ કરે છે. તેથી તે વખતે જે જ્ઞાનનો ઉપયોગ છે, તે મનન સ્વરૂપ છે, અને તે મનનના પરિણામથી પોતાનું સંસારસમુદ્રમાં રક્ષણ થાય છે. તેથી તે મંત્ર પરમમંત્ર બને છે, અને વિધિપૂર્વક આ મંત્રનો જાપ કર્યા પછી જિનપ્રતિમાના નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે. અહીં વિશેષ એ છે કે પ્રતિમાનિર્માણના કાર્યના પ્રારંભ પૂર્વે કરાતા મંત્રજાપમાં પણ માત્ર મંત્રનો જાપ કરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થતી નથી, પરંતુ મંત્રનાં પદોના અર્થનો જ્ઞાતા હોય અને તદર્થમાં ઉપયુક્ત હોય, ત્યારે તે મંત્રથી વિશુદ્ધ કોટીનો અધ્યવસાય પ્રગટે છે, અને તેનાથી પુણ્યબંધ અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે; કેમ કે ઋષભાદિ ૨૪ તીર્થંકરોનાં નામો સાન્વર્થ છે. તેથી વ્યુત્પત્તિથી તે નામનો અર્થ વિચારીએ તો જેમણે મોહનો જય કર્યો છે, એવા ઋષભાદિ તીર્થંકરોની ઉપસ્થિતિ થાય છે, અને તેમના સ્વરૂપમાં ઉપયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy