SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ભાવાર્થજિનબિંબ નિર્માણ પૂર્વે શિલ્પી સાથે ઉચિત વ્યવહાર: પૂર્વશ્લોક-૧૦માં કહ્યું કે જિનગૃહ કર્યા પછી તરત જ ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી જિનબિંબ નિર્માણ કરતાં પૂર્વે શિલ્પી સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો જોઈએ ? તે બતાવે છે – સ્ત્રી, મદ્ય, ધૃત આદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને જિનપ્રતિમાના નિર્માણનું કાર્ય સોંપવું જોઈએ, અને જિનપ્રતિમા નિર્માણ કરતાં પૂર્વે તેને ભોજન કરાવવું જોઈએ, પત્ર-પુષ્પ-ફલાદિ દ્વારા તેની પૂજા કરવી જોઈએ, ત્યારપછી પોતાના વૈભવને ઉચિત એવા મૂલ્યથી તેને અલંકાર આપવા જોઈએ. પોતાના વૈભવને ઉચિત મૂલ્યથી અલંકારાદિ આપેલ હોવાને કારણે પોતાનું ચિત્ત નાશ ન પામે, અને શિલ્પીને પણ આદરપૂર્વક ઉત્તમ અલંકાર આપેલા હોવાને કારણે પ્રતિમાના નિર્માણમાં શિલ્પીનું પણ ચિત્ત નાશ ન પામે. આ રીતે પ્રતિમા નિર્માણ કરનાર શ્રાવકના અને પ્રતિમા ઘડનાર શિલ્પીના કાલુષ્યનો પરિહાર કરવો જોઈએ; કેમ કે ધર્મના પ્રક્રમમાં અમંગળરૂપ એવો ચિત્તનો નાશ તત્ત્વજ્ઞો વડે નિષેધ કરાયો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પોતાના વૈભવનો વિચાર કર્યા વગર જિનપ્રતિમાના નિર્માણના પ્રસંગે ઉત્સાહમાં આવીને ઘણી મોટી પહેરામણી કરે તો પાછળની સર્વ પ્રવૃત્તિઓમાં અધિક ધનવ્યય થાય, તેના કારણે જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવકને ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન થાય, તેથી પોતાના ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન ન થાય તેનો વિચાર કરીને તે પ્રમાણે જ પહેરામણી કરવી જોઈએ. વળી શિલ્પીને પણ તુચ્છ અને અસાર વસ્તુની પહેરામણી કરવામાં આવે તો તેના ચિત્તમાં પણ કાલુષ્ય થાય કે જિનપ્રતિમાના નિર્માણ વખતે આ રીતે મારી પૂજા કરીને અસાર એવી તુચ્છ વસ્તુ મને આપી. તેથી વૈજ્ઞાનિકની પણ વૈભવને ઉચિત મૂલ્યથી પહેરામણી કરવી જોઈએ. વળી આ સર્વ પ્રવૃત્તિ વ્યસન વગરના શિલ્પીને આશ્રયીને કરવાની છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યસન વગરના જ શિલ્પીને જિનપ્રતિમાના નિર્માણનું કામ સોંપવું જોઈએ. તેવા કોઈક સંયોગોને કારણે વ્યસન વિનાના શિલ્પીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy