SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જિનભક્તિદ્વાáિશિકા/શ્લોક-૮ જિનરાગથી ભગવાનની ભક્તિથી, નિદાનરહિત શુભાશય કરવો જોઈએ. આના દ્વારા=ભગવાનની ભક્તિથી નિદાનરહિત શુભાશય કરવો જોઈએ' એ કથન દ્વારા, ઉદ્દેશત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. અર્થાત્ જિનભવનના નિર્માણનો ઉદ્દેશ ભગવાનની ભક્તિ છે, આલોક-પરલોકની આશંસા નથી. તેથી ભગવાનની ભક્તિમાં ઉદ્દેશવાખ્ય વિષયતા છે, અને તે ભગવાનની ભક્તિરૂપ ઉદ્દેશ શુદ્ધ હોવાથી ભગવાનની ભક્તિથી નિદાનરહિત શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા ઉદ્દેશ–ાખ્ય વિષયતાથી શુદ્ધિ કહેવાઈ. વળી તે શુભાશય કઈ રીતે કરવો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – સ્વકૃતિથી સાધ્ય એવી જીવની પીડાના પરિહારરૂપ જે જલાદિની થતતા, તે યતનાવાળા પુરુષે ગૃહાદિ સંબંધી એવા અન્ય આરંભના પરિત્યાગથી શુભ આશય કરવો જોઈએ, એમ અવય છે. આના દ્વારા=જલાદિમાં યતનાપરાયણ પુરુષ ગૃહકાર્યના આરંભોના પરિત્યાગથી શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા, સાધ્યત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ અર્થાત્ સ્વકૃતિથી જલાદિ જીવોની પીડાતો પરિવાર સાધ્ય છે અને ગૃહકાર્યના આરંભનો પરિત્યાગ પણ સાધ્ય છે, તેથી તે બંનેમાં સાધ્યત્વાખ્ય વિષયતા છે. તે બંને સાધ્ય શુદ્ધ હોવાથી જલાદિ યતવાવાળા પુરુષે ગૃહાદિ કાર્યના આરંભના ત્યાગથી શુભાશય કરવો જોઈએ' એ કથન દ્વારા સાધ્યત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. nતા. ભાવાર્થ : જિનાલયના નિર્માણમાં ત્રણ પ્રકારની શુદ્ધિ અપેક્ષિત છે : (૧) આલંબનની શુદ્ધિ, (૨) ઉદ્દેશ્યની શુદ્ધિ અને (૩) સાધ્યની શુદ્ધિ. આ ત્રણ શુદ્ધિથી યુક્ત જેટલો અધ્યવસાય ઉત્કર્ષવાળો તેટલી નિર્જરાની અધિક પ્રાપ્તિ થાય છે. (૧) આલંબનત્વાખ્ય વિષયતાની શુદ્ધિ : જિનભવનકૃત્યવિષયક પ્રયત્ન હોવાથી પ્રયત્નનું આલંબન જિનભવનનું કૃત્ય છે, અને જિનભવનનું કૃત્ય શુદ્ધ છે. તેથી જિનાલયના નિર્માણની પ્રવૃત્તિમાં આલંબનની શુદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy