SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જિનભક્તિાસિંચિકા/સંકલના ભગવાન બળવાન આલંબન હોવાને કારણે ભગવાન ફળ આપે છે, તેમ કહેવાય છે. સંક્ષેપથી ભગવાનના ગુણોની સ્મૃતિથી કરાયેલી ભક્તિ ભગવાનના જેવા ગુણો પ્રગટ કરવાની શક્તિનું આધાર કરે છે, અને પૂજાકાળમાં ભક્તિનો પ્રકર્ષ થાય તો તત્કાળ પૂજા કરનાર વીતરાગ પણ બને છે. આથી જ નાગકેતુ પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાનને પામ્યા. માટે પૂજામાં બાહ્ય ક્રિયા કે બાહ્ય સંપત્તિની પ્રધાનતા નથી, પરંતુ ભગવાનના ગુણોને અવલંબીને અંતરંગ પ્રવૃત્તિ કરવામાં ઉપષ્ટભક બને તે રીતે જ બાહ્ય ક્રિયાનું સફળપણું છે. છvસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy