SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલના ભક્તિમાં સ્નાનાદિથી હિંસા થાય છે, માટે હિંસાત્મક પૂજા ઇષ્ટ નથી. તેનું યુક્તિથી સમાધાન શ્લોક-૨૭માં આપેલ છે. વસ્તુતઃ ભગવાનની પૂજામાં ભગવાનના ગુણોને અવલંબીને સ્વમાં ગુણોની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર હોવાથી તે પૂજાની પ્રવૃત્તિકાળમાં જે હિંસાદિ થાય છે, અને ભગવાનની પૂજા અર્થે કરાતા સ્નાનાદિમાં જે હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપ છે. વળી તે પૂજાકાળમાં જીવનો ઉપયોગ ગુણોની વૃદ્ધિને અનુકૂળ હોવાથી પૂજાની ક્રિયા નિર્જરાનું કારણ છે, માટે સંપૂર્ણ નિરવદ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો પૂજાથી શ્રાવકને નિર્જરા થતી હોય તો સાધુઓએ પણ પૂજા કરવી જોઈએ. તેથી શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે દ્રવ્યસ્તવરૂપ પૂજાથી ભાવસ્તવની પ્રાપ્તિ કરવાની છે, અને સાધુને ભાવસ્તવ પ્રાપ્ત થયેલ છે. માટે સાધુ દ્રવ્યસ્તવરૂપ પૂજા કરતા નથી, અને શ્રાવક ભાવસ્તવના અર્થી છે માટે પૂજા કરે છે. વળી જે શ્રાવક પણ અતિસંપરુચિવાળા છે અને સામાયિકાદિમાં છે, તેઓ ભાવસ્તવમાં આરૂઢ છે, માટે તેઓ પણ પૂજાના અધિકારી નથી. વળી જેઓ સંસારમાં આરંભ કરે છે અને ભગવાનની પૂજામાં આરંભની શંકા કરે છે અને તેથી પૂજાની સામગ્રીમાં સંકોચ કરે છે, તેઓને તો પૂજાથી પણ પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ ભગવાનની પૂજા ભાવસ્તિવનું કારણ હોવાથી ઉત્તમ ભાવના અર્થી શ્રાવક ઉત્તમ સામગ્રી પોતાની પાસે ન હોય તો તેના માટે ધનઅર્જનની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ પણ નિર્જરાનું કારણ છે; પણ ધનઅર્જનની ક્રિયા છે માટે કર્મબંધનું કારણ છે, તેમ કહી શકાય નહિ. આનું યુક્તિથી સ્થાપન ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૧માં કરેલ છે. આ રીતે પૂજા સર્વ કલ્યાણનું કારણ છે, તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે વીતરાગ મોક્ષમાં ગયેલા હોવાથી પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા નથી, તેથી પૂજાનું ફળ ભગવાન આપે છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે કે જેમ ચિંતામણિ આદિ કોઈ ઉપકાર કરતા નથી, તોપણ તેમની પૂજા કરનારને ફળ મળે છે; તેમ ભગવાનની પૂજા કરનારને પૂજાકાળમાં વર્તતા પોતાના શુભ આશયથી ફળ મળતું હોવા છતાં ભગવાનની પૂજાથી પ્રાપ્ત થતા ફળ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy