SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ: પૂર્વશ્લોકમાં કહ્યું કે આરંભની શંકાથી ભગવાનની ભક્તિમાં જેઓ સંકોચ કરે છે, તેઓને પરમઅબોધિની પ્રાપ્તિ થાય છે. તેનાથી એ ફલિત થયું કે ભગવાનની ભક્તિ અર્થે શક્તિને અનુરૂપ વિપુલ પ્રમાણમાં ઉત્તમ સામગ્રીથી પૂજા ક૨વી જોઈએ, અને કદાચ ઉત્તમ સામગ્રી માટે ધન ન હોય તો ધનપ્રાપ્તિ માટે પણ ઉદ્યમ કરવો જોઈએ. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે આ પ્રકારનો અર્થ ક૨વાથી શાસ્ત્રનાં બે વચનો સાથે વિરોધ આવશે, અને તે શાસ્ત્રનાં બે વચનો એ છે કે “ધર્મ માટે જેને ધનની ઇચ્છા છે, તેના કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે; કેમ કે કાદવમાં હાથ નાંખી ધોવા કરતાં કાદવનો સ્પર્શ ન કરવો તે શ્રેષ્ઠ છે.” આ વચનથી ભગવાનની ભક્તિ માટે ધન કમાવા અર્થે આરંભ-સમારંભ કરવા ઉચિત નથી, આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. વળી “નહિ કરમાયેલાં શુચિ ભાજનમાં રહેલાં જાત્યાદિ પુષ્પો વડે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પરંતુ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પો તોડીને ગ્રહણ કરવા જોઈએ નહીં, અર્થાત્ પુષ્પોને કિલામણા કર્યા વગર સહજ રીતે તોડ્યા વગર પુષ્પો પ્રાપ્ત થાય તે રીતે ગ્રહણ કરવા જોઈએ” તેવો અર્થ અષ્ટકના “શુદ્ધામૈર્યથાનામં” શબ્દથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાનની ભક્તિમાં પણ આરંભનો સંકોચ કરવો ઉચિત છે, એમ ફલિત થાય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. અહીં વિશેષ એ છે કે ઉદ્ધરણના પ્રથમ શ્લોકથી ભગવાનની ભક્તિ અર્થે ધન કમાવાના આરંભનો નિષેધ પ્રાપ્ત થાય છે, અને ઉદ્ધરણના બીજા શ્લોકથી ભગવાનની ભક્તિ અર્થે પુષ્પોને તોડવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાનની ભક્તિમાં પણ આરંભનો સંકોચ કરવો તે ઉચિત છે. માટે ધર્મ અર્થે આરંભની પ્રવૃત્તિ દોષરૂપ નથી, તેમ કહેવું ઉચિત નથી, એ પ્રકારનો શંકાકારનો આશય છે. પૂર્વપક્ષીની આ શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy