SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૦ થતો નથી તેથી સંયમની પ્રવૃત્તિ કરવાના ઉદ્યમવાળા નથી, આવા શ્રાવક ભગવાનની ભક્તિ કરવા માટે સ્વભૂમિકા અનુસાર પ્રયત્ન પણ કરે છે, તોપણ વિચારે કે “પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેથી ભગવાનની ભક્તિમાં થોડાં પુષ્પો કે થોડા જલાદિથી પ્રવૃત્તિ કરું, જેથી અલ્પ આરંભ થાય” તો તેના દ્વારા તેઓને પ્રકૃષ્ટ અબોધિની જ પ્રાપ્તિ થાય છે; કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિથી વિવેકનો અને ઔદાર્યનો નાશ થાય છે. આશય એ છે કે સંસારના આરંભો અકર્તવ્ય છે અને તે આરંભોના ઉચ્છેદમાં અનન્ય કારણભૂત એવી ભગવાનની ભક્તિ કર્તવ્ય છે; તેથી જેટલી વિપુલ સામગ્રીથી ભક્તિ કરવામાં આવે તેટલો ભાવનો અતિશય થાય, અને ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ જેટલો અતિશય થાય, તે પ્રમાણે શીધ્ર ભાવસ્તવની પ્રાપ્તિ થાય. આ પ્રકારનું કાર્ય-કારણભાવનું જ્ઞાન જે શ્રાવકને નથી, તેથી તે શ્રાવક ભગવાનની ભક્તિમાં આરંભનો સંકોચ કરે છે–અલ્પ પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે, અને તે આરંભના સંકોચથી વિવેકનો નાશ થાય છે. અર્થાત્ તે શ્રાવક અવિવેક હોવાને કારણે પૂજામાં પુષ્પાદિ જીવોનો આરંભ છે એ પ્રકારની આરંભની શંકા કરે છે અને અવિવેકવાળી પ્રવૃત્તિ કરીને=અલ્પ પુષ્પાદિથી પૂજા કરવારૂપ અવિવેકવાળી પ્રવૃત્તિ કરીને, અવિવેકના સંસ્કારો દઢ કરે છે. તેથી તે પ્રવૃત્તિથી વિવેકનો નાશ થાય છે. વળી ભગવાનની ભક્તિમાં અલ્પ પુષ્પાદિના ગ્રહણથી “આ લોકોત્તમ પુરુષની ઉત્તમ દ્રવ્યોથી અને વિપુલ દ્રવ્યોથી ભક્તિ કરું, જેથી સંસારનો શીઘ અંત પ્રાપ્ત થાય.” તે પ્રકારના ઔદાર્યનો ભાવ નાશ પામે છે, અને આ રીતે ઔદાર્ય અને વિવેકના નાશને કારણે ભગવાનની ભક્તિના કાળમાં ભગવાન પ્રત્યેના અનાદરની પ્રાપ્તિ થાય છે, જેથી પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે અર્થાતુ ભગવાનની પૂજા પૂર્વે તો મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વનો બંધ થતો હતો, પરંતુ ભગવાનની પૂજાના કાળમાં પુષ્પાદિ જીવોની વિરાધના થાય છે એ પ્રકારની બુદ્ધિને કારણે અલ્પ પુષ્પાદિથી પૂજા કરીને વીતરાગ પ્રત્યેના અનાદરભાવને પ્રાપ્ત કરે છે. તેથી વિશેષ પ્રકારના મિથ્યાત્વનો બંધ થાય છે, જેથી જન્માંતરમાં સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે. ll૩ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy