SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ એવી આ પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિ થાય છે. માટે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાધ્વંસને સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. આ પ્રમાણે ચિંતામણિકાર સ્વીકારે તો ગ્રંથકારશ્રી કહે છે કે ચિંતામણિકારને ‘પ્રતીતિ પ્રમાણે શબલ વસ્તુનો સ્વીકાર પણ બલાત્ પ્રાપ્ત થાય'. આ આશય એ છે કે યજ્ઞ કરવા અર્થે મંત્રજલથી આર્દ્ર કરાયેલા ધાન્યને પાંચ બ્રાહ્મણો મૂશલ વડે ફૂટે છે. ત્યારપછી તે ધાન્ય વડે યાજ્ઞિક યજ્ઞ કરે છે, સ્થળે મંત્રજલથી સંસ્કારિત કર્યા પછી તે ધાન્ય કૂટવામાં આવે ત્યારે તે ધાન્યનો કાંઈક અંશ ખંડિત થાય છે. તેથી ચિંતામણિકારના મતાનુસાર મંત્રજલથી સંસ્કારિત ધાન્યનો નાશ થાય છે, અને ધાન્યાન્તરની ઉત્પત્તિ થાય છે, છતાં ‘આ ધાન્ય સંસ્કારવાળું છે' એ પ્રમાણે બુદ્ધિ મુશલ વડે કુટાયેલા તે ધાન્યમાં થાય છે, માટે સંસ્કા૨વાળા એવા તે કુટાયેલા ધાન્યથી યાજ્ઞિક યજ્ઞ કરે છે. તેમ પ્રતિમાના કોઈ અવયવોના નાશથી પ્રતિમાન્તર ઉત્પન્ન થવા છતાં પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવી બુદ્ધિ થાય છે. માટે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે, તેમ સ્વીકારી શકાય છે. આ પ્રકારે ચિંતામણિકાર કહે તો ચિંતામણિકારના કથન સામે ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાના અવયવો ઘસાઈ જવા આદિથી અવયવનો નાશ થયો છે, માટે ‘આ પ્રતિમાન્તર છે’ તેમ પ્રતીતિના બળથી ચિંતામણિકારે સ્વીકારેલ છે, તે પ્રતીતિ અનુસાર તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ નથી; કેમ કે જે પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલ તે પ્રતિષ્ઠાનો નાશ થઈને આ પ્રતિમાન્તર બનેલ છે. અને પૂર્વમાં જે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ, તેનો જ અવયવના નાશથી આ પ્રતિમાત્તર ઉત્પન્ન થયેલી છે, માટે આ પ્રતિમામાં પ્રતિષ્ઠાધ્વંસ છે, તેવી બુદ્ધિ પણ થાય છે, તેમ ચિંતામણિકાર સ્વીકારે અને તેના બળથી અવયવના નાશ થયા પછી પણ તે પ્રતિમાને પૂજ્ય સ્વીકારે તો પ્રતીતિને અનુસાર એક જ પ્રતિમા કોઈક અપેક્ષાએ પ્રતિષ્ઠાવંસવાળી છે, અને કોઈક અપેક્ષાએ પ્રતિષ્ઠાધ્વંસ વગરની છે, તેમ સ્વીકાર થાય છે. તેથી એક જ પ્રતિમામાં પ્રતીતિ અનુસાર ધ્વંસનો ભાવ અને ધ્વંસનો અભાવ સ્વીકૃત થાય છે. તેથી ભાવાભાવાત્મક શબલ વસ્તુનો સ્વીકાર પણ ચિંતામણિકારને અનિચ્છાએ પ્રાપ્ત થાય છે અર્થાત્ ચિંતામણિકાર પદાર્થને ભાવાભાવાત્મક શબલ સ્વીકારતા નથી, આમ છતાં ‘પ્રતિષ્ઠિત પૂનયેદ્’ એની સંગતિ કરવા અર્થે પ્રતીતિ અનુસાર Jain Education International ૮૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy