SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની “જિનભક્તિદ્વાચિંશિકા'ના 1 શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ “ઢાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ કોઈ આગમ ગ્રંથ નથી પણ આગમ ગ્રંથોના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. વસ્તુતઃ “લાત્રિશદ્દ્ધાત્રિશિકા સમ્યજ્ઞાનનો દરિયો છે. યોગ, આગમ અને તર્કયુક્તિના શિરમોર સમાન એક અણમોલ અનુપમ આ મહાગ્રંથમાં અધ્યાત્મના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા ગૂંથાયેલી છે. આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને ન પ્રાપ્ત થયો હોત તો આપણે સફળતાપૂર્વક આત્મકલ્યાણ સાધવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સારા પામવા માટે અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનાવાળો આ ગ્રંથ આલંબનરૂપ છે. એક એકથી ચડિયાતા ગ્રંથરત્નોનું સાહિત્યસર્જન ‘લઘુહરિભદ્ર'ની પ્રસિદ્ધિને પામેલા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કર્યું છે. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાય પદે આરૂઢ રહીને તેઓશ્રીએ જિનશાસનને જયવંતુ રાખ્યું છે તેમની બહુમુખી પ્રતિભાને ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હશે તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy