________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩ ભાવાર્થ:
સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીના વધને ઈચ્છે છે; અને જે દાનનો નિષેધ કરે છે, તે વૃત્તિનો ઉચ્છેદ કરે છે.” આ સૂયગડાંગ સૂત્રનો વિષય અપુષ્ટાલંબનવાળા દાનને આશ્રયીને છે. તેથી એ ફલિત થાય કે શાસનપ્રભાવનાદિનું કારણ ન હોય તેવું દાન કોઈ કરતું હોય અને સાધુ તેની પ્રશંસા કરે તો તે દાનમાં થતી હિંસાની અનુમોદના થાય, અને જો તે દાનનો નિષેધ કરે તો તે દાનની પ્રવૃત્તિ અટકવાથી કેટલાક જીવોની આજીવિકાનો ઉચ્છેદ થાય, તેમાં સાધુ નિમિત્ત બને. તેથી તેવા સ્થાનમાં દાનની પ્રશંસા કરવાથી પણ કર્મબંધ થાય અને દાનનો નિષેધ કરવાથી પણ કર્મબંધ થાય. તેથી તેવા સ્થાનમાં સાધુએ મૌન લેવું ઉચિત છે. પરંતુ જે દાન બીજાધાનનું કારણ હોય તેવા દાનની સાધુ પ્રશંસા પણ કરે, એટલું જ નહીં, પણ પ્રસંગ આવે તો સ્વયં પણ તેવું દાન કરે. જેમ ભગવાને રંકને અનુકંપાથી વસ્ત્રદાન કર્યું. તેથી સૂયગડાંગ સૂત્ર સાથે સાધુને અપવાદિક અનુકંપાદાન આપવાના વચનનો વિરોધ નથી.
અહીં વિશેષ એ છે કે ‘જે દાનની પ્રશંસા કરે છે, તે પ્રાણીવધને ઈચ્છે છે; અને જે નિષેધ કરે છે, તે વૃત્તિના છેદને કરે છે' એ સૂત્રનો શબ્દાર્થમાત્ર ગ્રહણ કરીએ તો તે પદાર્થરૂપ બોધ છે, અને મૂઢતાથી તે પદાર્થરૂપ બોધમાત્રને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો સાધુ દાનની પ્રશંસા પણ ન કરી શકે અને નિષેધ પણ ન કરી શકે, તેવો અર્થ પ્રાપ્ત થાય. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, જેમ સાધુ દાનની પ્રશંસા ન કરી શકે તેમ દાન પણ ન કરી શકે; પરંતુ તેનો ઐદંપર્યાર્થ વિચારવામાં આવે તો આ કથન અપુષ્ટાલંબનદાનને આશ્રયીને છે, સર્વ દાનને આશ્રયીને નહીં, એમ ફલિત થાય. તેથી આ સૂત્ર સાથે સાધુને અપવાદિક અનુકંપાદાન કહેનારા સૂત્રનો વિરોધ નથી.
se
આશય એ છે કે સાધુને ધર્મપ્રાપ્તિના કારણીભૂત દાનની પ્રશંસાનો નિષેધ નથી અને શાસ્ત્રનિષિદ્ધ એવા દાનના નિષેધની પણ અનુજ્ઞા છે. આથી તેવા સ્થાનમાં સાધુ દાનની પ્રશંસા કે નિષેધ કરે તો કોઈ દોષની પ્રાપ્તિ નથી; પરંતુ જે દાન ધર્મપ્રાપ્તિનું કારણ ન હોય અને શાસ્ત્રનિષિદ્ધ પણ ન હોય અને સામાન્ય લોકો દુઃખી આદિ જીવો પ્રત્યેની કરુણાથી કરતા હોય તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org