________________
૩૫
દાનહાનિંશિકા/શ્લોક-૮ ધાન્યના દાણા વાવેલા હોય તોપણ નકામા જાય છે. તે રીતે અનુકંપાદાનનો ઉચિત કાળ હોય ત્યારે થોડી પણ અનુકંપાની પ્રવૃત્તિ ઘણા ફળવાળી થાય છે અને તેવો ઉચિત કાળ ન હોય તો કરાયેલી ઘણી પણ અનુકંપાની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે.
આશય એ છે કે ભગવાનની પૂજા કરતી વખતે કે જિનમંદિર નિર્માણ કરતી વખતે કે તેવા કોઈ શાસનપ્રભાવનાના સંયોગો હોય તેવા કાળે કરાયેલી દાનશાળામાં કરાયેલો ધનનો વ્યય ઘણા લાભનું કારણ બને છે, અને તેવા કાળ સિવાય માત્ર દુઃખી લોકના દુઃખને દૂર કરવાના આશયથી ઘણો ધનનો વ્યય કર્યો હોય તોપણ તેવો ઉચિત કાળ નહીં હોવાથી તે ધનવ્યયથી કોઈને બીજાધાન થવાની સંભાવના રહેતી નથી. માટે તેવા સમયે કરાયેલા ધનવ્યયથી અનુકંપાનું ફળ મળે નહીં.
જેમ વર્ષાકાળે વાવેતર કરવાથી તે વાવણીનું ધા નિષ્પત્તિરૂપ ફળ મળે છે, તેમ લોકોને બીજાધાન થવાની સંભાવના હોય તેવા કાળમાં થોડી પણ અનુકંપાની પ્રવૃત્તિથી ઘણું ફળ મળે છે. III અવતરણિકા :
अवसरानुगुण्येनानुकम्पादानस्य प्राधान्यं भगवदृष्टान्तेन समर्थयितुमाह - અવતરણિકાર્ય -
અવસરના અનુગુણ્યથી=અવસર અનુસારે અનુકંપાદાનના પ્રાધાને ભગવાનના દૃષ્ટાંતથી સમર્થિત કરવા માટે કહે છે – ભાવાર્થ -
શ્રાવક સામાન્ય રીતે પોતાની ભૂમિકા પ્રમાણે સર્વ જીવોને આશ્રયીને . અનુકંપાદાન કરે છે, જેથી “ભગવાનના શાસનમાં દાનનો નિષેધ છે” – એ પ્રકારે શાસનનો ઉડ્ડાહ ન થાય; પરંતુ જો શ્રાવક કોઈને આપ્યા વિના માત્ર પોતાના જ ઉપભોગમાં વાપરે તો લોકોને તેવી બુદ્ધિ થાય કે “આ લોકોનો ધર્મ દાનધર્મનો પણ નિષેધ કરે છે, માટે આ ધર્મ શિષ્ટ પુરુષોથી પ્રવર્તિત નથી.” આથી શ્રાવક નીચેનાં ચાર કારણોથી ઉચિત અનુકંપા કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org