SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાવિંશિકા/શ્લોક-૧ પ્રકરણને આરંભ કરનાર ગ્રંથકાર, દાનધર્મનું પ્રથમપણારૂપે પરમ મંગલરૂપપણું હોવાથી, આદિમાં “ત્રિશિરા 'ની આદિમાં, તેની દ્વાáિશિકાનેત્રદાનની દ્વાáિશિકાને, કહે છે – ભાવાર્થ - સંસારનાં અન્ય મંગલો કરતાં ચાર પ્રકારનો ધર્મ પરમ મંગલ છે; કેમ કે ચારે પ્રકારનો ધર્મ ભાવમંગલરૂપ છે, અને ચારે પ્રકારના ધર્મમાં દાનધર્મ પ્રથમ હોવાને કારણે ગ્રંથકારે પ્રસ્તુત બત્રીશીઓમાં પ્રથમ બત્રીશી દાનધર્મથી પ્રારંભ કરેલ છે; અને આ ગ્રંથની રચના કરતી વખતે ગ્રંથકારે આત્મકલ્યાણના કારણભૂત અનેક શાસ્ત્રોના અર્થના સંગ્રહને મનમાં રાખેલ છે, તેથી આ ગ્રંથના અધ્યયનથી કલ્યાણના કારણભૂત અનેક શાસ્ત્રોના અર્થની પ્રાપ્તિ થાય તેમ છે, તે વાત ઘોતિત થાય છે. અહીં વિશેષ એ છે કે દાન, શીલ, તપ અને ભાવ : એ ચારે પ્રકારના ધર્મોમાં પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરનો ધર્મ શ્રેષ્ઠ છે. તેથી આ ચારે ધર્મો કરતાં દાનધર્મ પ્રથમ હોવાને કારણે પરમ મંગલ છે એમ કહી શકાય નહીં; કેમ કે તેમ કહીએ તો એવો અર્થ ફલિત થાય કે ચારે પ્રકારના ધર્મમાં પરમ કલ્યાણનું કારણ દાનધર્મ છે, અને શીલાદિ ધર્મો તેના કરતાં ઓછા કલ્યાણના કારણ છે. વસ્તુતઃ દાનધર્મ કરતાં શીલધર્મ અધિક કલ્યાણનું કારણ છે, તે રીતે શીલ કરતાં પણ તપ અને તપ કરતાં પણ ભાવધર્મ અધિક કલ્યાણનું કારણ છે; તોપણ અન્ય સર્વ દ્રવ્ય મંગલો કરતાં આ ચારે પ્રકારનો ધર્મ પરમ મંગલરૂપ છે અને તેમાં દાનધર્મ પ્રથમપણારૂપે પરમ મંગલ છે. તેથી ગ્રંથકારે અહીં દાનબત્રીશી પ્રથમ કહેલ છે. અહીં “પ્રાથચ્ચેન’ શબ્દ સ્વરૂપ અર્થમાં તૃતીયા છે, હેતુ અર્થમાં નથી. શ્લોક : ऐन्द्रशर्मप्रदं दानमनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ।।१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy