________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧
વાત્સલ્યાદિમાં થતી જીવવિરાધના વર્ષના અભિપ્રાયને કારણે જીવઘાતપરિણામજન્યત્વ વગરની બને છે.
આ પ્રકારનો ભાવાર્થ વિચારવાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ઉપાધિ વગરની વિરાધના પ્રતિબંધક બને છે અર્થાત્ વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિ વગરની વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક બને છે, અને સાધર્મિકવાત્સલ્યાદિમાં વર્તતી વિરાધના ઉપાધિવાળી છે, તેથી ઉપાધિવાળી વિરાધનામાં નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવપણું અક્ષત છે અર્થાત્ સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિથી ઉપહિત છે, તેથી નિર્જરા પ્રત્યે તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ માનવામાં કોઈ દોષ નથી. આ પ્રકારનું ધર્મસાગરજીનું કથન છે, તે યુક્ત નથી.
૧૧૧
ધર્મસાગરજીનું આ કથન કેમ યુક્ત નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે સ્ફટિકમાં નિર્મળતારૂપ ધર્મ છે, તેથી જપાકુસુમરૂપ ઉપાધિ દ્વારા તેની નિર્મળતા ત્યાગ થઈ શકે છે. પરંતુ સ્ફટિકમાં જેમ નિર્મળતા છે, તેમ સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ નથી, તેથી વર્જનાઅભિપ્રાય દ્વારા તેનો ત્યાગ કરાવી શકાય નહીં.
ઉપર્યુક્ત સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકાર કહે છે કે આ જ કારણથી= સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વ નથી માટે વર્જનાઅભિપ્રાય દ્વારા તેનો ત્યાગ થઈ શકતો નથી આ જ કારણથી, તત્ત્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ પણ સાધર્મિકવાત્સલ્યાદિના દાનની અનુપપત્તિ છે.
આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક પ્રમિતિ થતી હોય અને વર્જનાઅભિપ્રાય દ્વારા જીવઘાતપરિણામજન્યત્વનો ત્યાગ થઈ શકતો હોય, તો જીવવાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ વર્જનાઅભિપ્રાયવાળું સાધર્મિકવાત્સલ્યનું દાન થઈ શકે. પરંતુ સાધર્મિકવાત્સલ્યમાં જીવઘાતપરિણામજન્યત્વ હોતું જ નથી, તેથી જીવઘાતપરિણામજન્યત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ સાધર્મિકવાત્સલ્યનું દાન થઈ શકે નહીં. જેમ સ્ફટિકમાં નિર્મળત્વપ્રકારક્ચમિતિ થાય છે અને જ્યારે તે સ્ફટિક પાસે જપાકુસુમરૂપ ઉપાધિ આવે ત્યારે નિર્મળત્વપ્રકારકપ્રમિતિના પ્રતિબંધરૂપ જપાકુસુમથી વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org