________________
G
દાનહાનિશિકા/બ્લોક-૩૧ ભાવાર્થ - સર્વસંપન્કર દાન ક્યારે બને ? :
પાત્રની પરીક્ષા કરીને, પાત્રમાં રહેલા ગુણોને ઉપસ્થિત કરીને, તે ગુણને કારણે તેમના પ્રત્યે થયેલી ભક્તિપૂર્વક શ્રાવક જ્યારે મુનિને કે શ્રાવકને કે સમ્યગુરુષ્ટિને દાન આપતો હોય ત્યારે, પોતાની શ્રાવકઆચારની ઉચિત મર્યાદાનું અનુલ્લંઘન હોવાને કારણે તે દાનની ક્રિયા મોક્ષનું કારણ છે; કેમ કે મુનિ આદિ ત્રણે પાત્રોમાં જે મોક્ષને અનુકૂળ ગુણો વર્તે છે, તે ગુણોની ઉપસ્થિતિપૂર્વક તેમના પ્રત્યે થયેલી ભક્તિથી તે દાનની ક્રિયા કરે છે. વળી તે ગુણવાનને ગુણવાનરૂપે જાણીને ગુણ પ્રત્યે થયેલી ભક્તિથી શ્રાવક દાનની ક્રિયા કરે છે, તેથી તે દાનની ક્રિયા જ્ઞાનપૂર્વક હોવાના કારણે પરંપરાએ મોક્ષનું કારણ છે. li૩ના અવતરણિકા -
પૂર્વ ગાથામાં કહ્યું કે સુપાત્રને અપાયેલું દાન સર્વસંપત્તિને કરનારું છે. ત્યાં પ્રશ્ન થાય કે, સુપાત્રને પણ દાન આપવામાં દ્રવ્યથી આરંભસમારંભ થાય છે, તે અપેક્ષાએ તો તે દાન કર્મબંધનું પણ કારણ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે – શ્લોક :
शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते ।
कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ।।३१।। અન્વયાર્થ -
શુભયોગપ=શુભયોગમાં પણ=સાધર્મિકભક્તિ કરવાના શુભ વ્યાપારમાં પણ યઃ છોકપિ=જે કોઈ પણ દ્રવ્યત: દ્રવ્યથી રોષ =દોષ ગાયતૈ=થાય છે, સ =તે પુન:=વળી તનાવત: તનાવાળાને પજ્ઞાન-ફૂપદષ્ટાંતથી ન નિક અનિષ્ટ નથી કર્મબંધનું કારણ નથી. li૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org