SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ G9 દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ અસાધુ માટે અહિતનું કારણ બને. તેથી આવા દાનથી શ્રાવકને બંધાયેલું તુચ્છ પુણ્ય ચંદન બાળીને અંગારાથી આજીવિકા કરવા જેવું છે, એટલું જ નહીં; દોષના પોષણમાં સહાયક થવાથી પોતાને પણ ભવિષ્યમાં સન્માર્ગના વિનાશની પ્રાપ્તિ થાય, તેવું પાપ પણ બંધાય છે. માટે જેમ ચંદનને બાળીને આજીવિકાવૃત્તિ કરવી તે અનુચિત કૃત્ય છે, તેમ અસંયમી સાધુની દોષપોષકતાની ઉપેક્ષા કરીને દાન આપવું તે અનુચિત કૃત્ય છે. ા૨ા શ્લોક ઃ अतः पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया । तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ।। २९ ।। અન્વયાર્થ : ગત =આથી પૂર્વમાં કહ્યું કે સંયતને દાન આપવાથી નિર્જરા થાય છે અને અસંયતને ગુરુત્વબુદ્ધિથી દાન આપવાથી કર્મબંધ થાય છે આથી વાનશોજી =દાન આપવામાં શૂરવીર ધિયા=બુદ્ધિથી સ્વયં=સ્વયં પાત્ર=પાત્રની પરીક્ષેત=પરીક્ષા કરે. તત્=d=પાત્ર ત્રિયા=ત્રણ પ્રકારે ચા છે. મુનિ=મુનિ શ્રાદ્ધઃ=શ્રાવક તથાપરઃ=અને અપર સભ્યસૃષ્ટિ=સમ્યગ્દષ્ટિ. ।।૨૯।। શ્લોકાર્થ : આથી=સંયતને દાન આપવાથી નિર્જરા અને અસંયતને ગુરુત્વબુદ્ધિથી દાન આપવાથી કર્મબંધ થાય છે. આથી દાન આપવામાં શૂરવીર, સ્વયં બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરે. તે પાત્ર ત્રણ પ્રકારે છે - મુનિ, શ્રાદ્ધ=શ્રાવક, અને અપર સમ્યગ્દષ્ટિ. ॥૨॥ ટીકા – અત કૃતિ-સ્પષ્ટઃ ર૬।। ટીકાર્ય - (શ્ર્લોક સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ શ્લોકની ટીકા લખેલ નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy