________________
દાનતાસિંચિકા/ક-૨
(B) જે સાધુ સૂત્રવિધિસમગ્ર નથી, છતાં (૧) અનુકૂળ પદાર્થો પ્રત્યે સંશ્લેષવાળા છે, માટે આધાર્મિક આહાર વાપરે છે અથવા
(૨) અનુકૂળ પદાર્થો પ્રત્યે સંશ્લેષ નહીં હોવા છતાં નિર્દોષ ગવેષણા માટે પ્રમાદવાળા છે, તેથી આધાર્મિક આહાર વાપરે છે અથવા
(૩) નિર્દોષ ગવેષણા માટે અપ્રમાદવાળા હોવા છતાં આહાર વાપરતી વખતે અપેક્ષિત યતનામાં અપ્રમાદવાળા ન હોય અથવા
(૪) આધાકર્મિક આહાર વાપર્યા પછી તેના દ્વારા સંચિત બલ-વીર્યને સંયમયોગના વ્યાપારમાં પ્રવર્તાવતા ન હોય, તો તેનો આધાકર્મિક આહારનો ઉપભોગ કર્મબંધનું કારણ છે; કેમ કે આધાર્મિક આહારની ગ્રહણક્રિયામાં ક્યાંક પ્રમાદનો પરિણામ છે કે જેના કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે.
ઉપર્યુક્ત (A) તથા (B) વિકલ્પ બતાવવા માટે ભજનાસૂત્ર છે, માટે આધાકર્મિક આહારને એકાંત દુષ્ટ કહેવું સંગત નથી.
આનાથી એ ફલિત થાય કે કારણે વિવેકી શ્રાવક સાધુને આધાકર્મિક આહારનું દાન કરે તો પણ એકાંતે નિર્જરા થાય. તેથી સુપાત્રદાનની ચતુર્ભગીમાંથી પ્રથમ ભાંગો એકાંત શુદ્ધ છે, અને બીજો ભાંગો સકારણ એકાંત શુદ્ધ છે અને નિષ્કારણ આપે તો અશુદ્ધ છે. તેથી બીજા ભાંગામાં ભજના છે અને મુગ્ધ દાયકની અપેક્ષાએ ભગવતીનું વચન છે. તેથી મુગ્ધ દાયક અશુદ્ધ દાન કરે ત્યારે અલ્પકર્મબંધ અને ઘણી નિર્જરા પ્રાપ્ત થાય. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, દાનસામગ્રીની અંશથી શુદ્ધિ અને અશુદ્ધિને આશ્રયીને ભગવતીનું કથન છે” તે સંગત નથી. રા અવતરણિકા -
શ્લોક-૨૧માં પાત્રદાનની ચતુર્ભાગી બતાવી. તેમાં કહેલ કે પ્રથમ ભાંગો સંશુદ્ધ છે. તે સંશુદ્ધ કઈ અપેક્ષાએ છે ? તે શ્લોક-૨૨માં સ્પષ્ટ કરેલ. બીજા ભાંગામાં ભજના છે અને તે ભજના શ્લોક-૨૩-૨૪-૨પમાં બતાવી. ત્યાં કોઈક પૂર્વપક્ષી ભિક્ષાની બાહ્યશુદ્ધિ-અશુદ્ધિને આશ્રયીને ભગવતીસૂત્રના કથનનું યોજન કરે છે. તેનું નિરાકરણ શ્લોક-૨૬માં કર્યું. તેથી બીજા ભાંગાનું કથન પૂર્ણ થયું. હવે છેલ્લા બે ભાંગા અનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org