________________
૮૮
દાનહાનિંશિકા/શ્લોક-૨૬ કરડ્યા કરશે અને મારે હેરાન થવું પડશે, માટે મારે વસ્ત્ર પહેરવાં નહીં, જેથી જૂનો ઉપદ્રવ થાય નહીં,' તેમ આધાર્મિકને એકાંતે દુષ્ટ કહેનારની પ્રવૃત્તિ છે. તે આ રીતે –
કારણવિશેષમાં આધાકર્મિક આહાર પણ સાધુને સંયમવૃદ્ધિનું કારણ બને છે. આમ છતાં આધાકર્મિક ગ્રહણ કરવાથી ક્યારેક ચિત્ત લેપાઈ જાય તો કર્મબંધ થાય, તેવા ભયથી “આધાર્મિક ક્યારેય લેવાય નહીં તે પ્રમાણે પૂર્વપક્ષી આધાર્મિકને એકાંત દુષ્ટ કહે છે. વસ્તુતઃ અપવાદથી લીધેલ આધાર્મિક આહાર સંયમની વૃદ્ધિનું કારણ હોવાથી દુષ્ટ નથી, પરંતુ પ્રમાદવશ કોઈ સાધુ આધાકર્મિક ગ્રહણ કરે તો કર્મબંધ થવાનો ભય છે; અને તેના ભયથી આધાકર્મિક સાધુને સર્વથા ન લેવાય, તેમ કહેવું, તે જૂ પડવાના ભયથી વસ્ત્રત્યાગના જેવી ચેષ્ટા છે; અને આ રીતે આધાકર્મિકને એકાંત દુષ્ટ કહેનાર પૂર્વપક્ષી દ્વારા સૂત્રકૃતાંગનું ભજનાસૂત્ર કઈ રીતે સંગત કરાય ? અર્થાત્ સંગત કરાય નહીં. સૂત્રકૃતાંગનું ભજનાસૂત્ર આ પ્રમાણે છે –
આધાકર્મિક આહારને જે વાપરે છે, તે પરસ્પર=આધાકર્મિક આહાર અને તેનો આત્મા પરસ્પર, સ્વકર્મ દ્વારા=સ્વક્રિયા દ્વારા, લેપાયેલો જાણવો અથવા વળી નહીં લેપાયેલો જાણવો.” આ ભજનાસૂત્રમાં આધાકર્મિક આહારના કર્મબંધરૂ૫ ફળમાં ભજના કહેવાયેલી છે. તેથી એ ફલિત થાય કે આધાકર્મિક આહાર વાપરનાર કર્મબંધ પણ કરે છે અને કર્મબંધ નથી પણ કરતા; કેમ કે જ્યારે લેપાય છે ત્યારે કર્મબંધ કરે છે અને જ્યારે નથી લેપાતા ત્યારે કર્મબંધ થતો નથી. તેથી આધાર્મિક આહાર એકાંત દુષ્ટ છે તેમ માનનાર દ્વારા આ ભજનાસૂત્ર સંગત થાય નહીં.
હવે પૂર્વપક્ષી આ સૂત્રને સંગત કરવા માટે કહે કે “જે આધાકર્મિક આહાર વાપરે છે તે લેપાય છે, અને જે વાપરતા નથી તે લેવાતા નથી.” આ પ્રમાણે સૂત્રનો અર્થ કરીએ તો આધાકર્મી આહારને એકાંતે દુષ્ટ માની શકાય અને ભગવતીસૂત્રનો વિષય ઉત્તરગુણઅશુદ્ધને આશ્રયીને છે, એમ કહેવામાં કોઈ વિરોધ નથી.
પૂર્વપક્ષીએ આપેલા સમાધાનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org