________________
૮૪
દાનાસિંશિકા/શ્લોક-૨૬ (૨) મુગ્ધ જીવ સંયતને અશુદ્ધ દાન આપે તો ઘણી નિર્જરા અને અલ્પ કર્મબંધ કરે અને આયુષ્ય બાંધતો હોય તો શુભ ગતિનું અલ્પ આયુષ્ય બાંધે. (૩) અભિતિવિષ્ટ અશુદ્ધ દાન આપે તો દુર્ગતિનું દીર્ઘ આયુષ્ય બાંધે. અશુદ્ધ દાનમાં આ ત્રણે વિકલ્પો અધ્યવસાયના ભેદથી પડેલા છે. હવે બાહ્ય અશુદ્ધ દાનના ભેદથી જ નિર્જરા અને કર્મબંધ સ્વીકારનાર કોઈ પૂર્વપક્ષી ભગવતીના કથનનું અન્ય રીતે સમાધાન કરે છે, તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે અર્થાત્ અધ્યવસાયના ભેદથી કર્મબંધના ભેદને સ્વીકારવાને બદલે સંયતને અપાયેલા અશુદ્ધ દાનમાં રહેલી આંશિક અશુદ્ધતાના કારણે કર્મબંધ, અને આંશિક શુદ્ધતાને કારણે નિર્જરા, સ્વીકારીને ભગવતીસૂત્રના વચનની સંગતિ પૂર્વપક્ષી કરે છે, જે ઈષ્ટ નથી. તેથી તે પૂર્વપક્ષીનું વચન બતાવીને ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે – શ્લોક :
यस्तूत्तरगुणाशुद्धं प्रज्ञप्तिविषयं वदेत् ।
तेनात्र भजनासूत्रं दृष्टं सूत्रकृते कथम् ।।२६।। અન્વયાર્થ :
ચતુ જે વળી પ્રતિવિષચં=પ્રજ્ઞપ્તિના=ભગવતીસૂત્રના વિષયને ઉત્તર શુદ્ધ ઉત્તરગુણઅશુદ્ધ વધે–કહે છે, તે તેના વડે આ વિષયમાં= આધાર્મિકતા વિષયમાં સૂરવૃત્તેિ સૂત્રકૃતાંગમાં બતાવેલ માનાસૂરં=ભજતાસૂત્ર
યં વૃષ્ટ-કેવી રીતે જોવાયું કેવી રીતે સંગત કરાયું ? અર્થાત્ સંગત કરાયું નથી. ઘરકા શ્લોકાર્ચ -
જે વળી ભગવતીસૂત્રના વિષયને ઉત્તરગુણઅશુદ્ધ કહે છે, તેના વડે અહીં=આધાર્મિકના વિષયમાં, સૂત્રકૃતાંગમાં બતાવેલ ભજનાસૂત્ર કેવી રીતે સંગત કરાયું? અર્થાત્ સંગત કરાયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org