________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સમ્યકતપની કે સંવર નિર્જરાની અથવા દાન, શીલ, તપ, ભાવની મજાક ઉડાવવી, તેને બહુમાન્ય ન સમજતાં સંસારનો
હેતુ સમજવો તે મિથ્યાત્વ છે. પ્ર.૯ સંસારના માર્ગને મોક્ષમાર્ગ સમજવો – તેનો અર્થ શું છે? જ.૯ સંસારના માર્ગને મોક્ષમાર્ગ સમજવાનો અર્થ છેમિથ્યા શ્રદ્ધા,
જ્ઞાન, આચરણ વગેરેને સમ્યક-સાચા સમજવાં, સંસાર વધારનાર લૌકિક અનુષ્ઠાનોને (યજ્ઞ આદિને) મોક્ષના હેતુ
સમજવાં. પ્ર.૧૦ મુક્તને અમુક્ત માને તો શા માટે તે મિથ્યાત્વ છે? જ. ૧૦ મુક્ત આત્માને સંસારમાં લિપ્ત સમજવા, અરિહંત – સિદ્ધને
કર્મમુક્ત સુદેવ ન માનવા તે મિથ્યાત્વ છે. પ્ર.૧૧ અમુકતને મુક્ત માને તો કેવી રીતે મિથ્યાત્વ લાગે છે? જ.૧૧ રાગી-દ્વેષીને મુક્ત સમજવાં - અન્ય પંથોના દેવ જે રાગ-દ્વેષથી
યુક્ત છે, અજ્ઞાનવશ તેમને મુક્ત સમજવાં મિથ્યાત્વ છે. પ્ર. ૧૨ અભિગ્રહિક મિથ્યાત્વ કોને કહે છે? જ. ૧૨ તત્ત્વ – અતત્ત્વની પરીક્ષા કર્યા વિના જ પક્ષપાતપૂર્વક કોઈ
તત્ત્વને પકડી રાખવું અને અન્ય પક્ષનું ખંડન કરવું અભિગ્રહિક
મિથ્યાત્વ કહેવાય છે. પ્ર.૧૩ અનાભિગ્રહિક મિથ્યાત્વ શું છે? જ. ૧૩ ગુણ – દોષની પરીક્ષા કર્યા વિના જ બધા ધર્મોને બરાબર
સમજવા અનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય છે. પ્ર.૧૪ આભિનિવેશિક મિથ્યાત્વ કોને કહે છે? જ.૧૪ પોતાના પક્ષને અસત્ય જાણવાં છતાં પણ કદાગ્રહવશ પકડી
રાખીને ખોટા આગ્રહને ન છોડે, સ્ય સ્વીકાર ન કરે – એવા અતત્ત્વના આગ્રહને આભિનિવેશિક મિથ્યાત્વ કહે છે.
કાII AHITRALIA I[TI[H[TLE
I
TIHHI
:
૨૩૧ ) Ill Bll HistiLTH TIT T ITT III 4 1 1 11 102
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org