SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મોટી સંલેખનાનો પાઠ (સંથારો – સંલેખના પાઠ) પ્ર. ૧. મરણ કોને કહે છે? તેના મુખ્ય ભેદ કેટલા છે? જ. ૧. આયુષ્ય પૂરું થયા બાદ આત્માનું શરીરથી અલગ થવું અથવા શરીરથી પ્રાણનું નીકળવું મરણ” કહેવાય છે. મરણ બે પ્રકારના બતાવ્યા છે – (૧) સકામ (પંડિત) મરણ અને (૨) અકામ (બાલ) મરણ. જ્ઞાની જીવોનું મરણ કામ હોય છે અને અજ્ઞાની જીવોનું મરણ અકામમરણ હોય છે. પ્ર. ૨, સંલેખના એટલે શું ? જ. ૨. સંલેખના એક પ્રકારનું તપ છે. પ્ર. ૩. સંલેખના કેવું તપ છે? જ. ૩. સંલેખના શરીર અને કષાયને પાતળા પાડનારું તપ છે. પ્ર. ૪. તપથી શું લાભ છે? ભૌતિકદ્રષ્ટિથી રોગમુક્તિ મળે છે. શારીરિક, માનસિક વિકારો નષ્ટ થાય છે. શરીર સ્વસ્થ બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્મતૃઢતાનો વિકાસ થાય છે. કર્મરૂપી કચરાનો વિનાશ થવાથી આત્મા નિર્મળ અને સશક્ત બને છે. લબ્ધિ પ્રાપ્ત થાય છે. કર્મરૂપી કચરો બાળવાને માટે તપ અગ્નિનું કામ કરે છે. પ્ર. ૫. રોજ રાત્રે કેવી રીતે સંલેખના કરવી જોઈએ? જ. ૫. આની વિધિ પણ મારસંતિક સંલેખના જેવી જ છે. જ્યાં “વિહરામિ'' શબ્દ આવે છે ત્યાર પછી “જો જીવું તો અનશન પાળવું કહ્યું છે, મરી જઉં તો જીવનપર્યત અનશન છે” આટલું બોલવું જોઈએ. તેને નીચેના દોહાથીપણ ગ્રહણ કરી શકાય છે. i hala:Hai Halla lil: allah (૨૨૬) Haiti HealthIleana Hall Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy